પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાત આવશે; 3000થી ઓછા મતોના માર્જિનથી જીતેલી બેઠકો માટે ભાજપ ખાસ સ્ટ્રેટેજી ઘડશે
પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાત આવશે
2017ની ઓછા માર્જિનવાળી બેઠકો પર ભાજપની નજર
16 સીટ પર ઉમેદવારોની જીત 3000થી ઓછા મતોથી થઈ હતી
ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાત આવશે, 20 નવેમ્બર ગુજરાત આવશે અને ઝોન વાઇસ પ્રવાસ અને રેલીઓ કરશે. ભાજપ માટે પ્રભારીનો પ્રવાસ અતિ મહત્વનો રહશે. વર્ષ 2017માં થયેલી ભુલોનું પુનરાવર્તન ન થાય તે માટે પ્રભારી કવાયત હાથ ધરશે. ઓછા માર્જિનથી વાળી બેઠકો પર ભાજપનું મહત્વનું છે. જે વિવિધ બેઠક માટે ભાજપના 40 સ્ટાર પ્રચારકો પ્રચાર કરશે પરંતું જે બાબતે ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ ખાસ રણનીતિ પણ ઘડશે. જોઈએ ઓછા માર્જિન વાળી બેઠકો
16 સીટ પર જીત 3000થી ઓછા મતો થઈ હતી
ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં 16 એવી સીટ હતી જ્યાં ઉમેદવારની જીત 3000થી ઓછા મતોથી થઈ હતી. જેમાંથી 7 સીટ તો એવી હતી જ્યાં 1000 વોટથી હાર-જીત થઈ હતી. જે 16 સીટોમાંથી 10 સીટો પર ભાજપે કબજે કરી હતી તો કોંગ્રેસે 6 સીટ જીતી હતી. જો વાત કરીએ વલસાડના કપરાડા બેઠક સૌથી ઓછા મતોથી ઉમેદવાર જીત્યો હતો. જ્યાં કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીએ ભાજપના મધુ રાઉતે 170 મતોથી હરાવ્યાં હતા. જ્યાં ભાજપને 92,830 વોટ મળ્યાં હતા જ્યારે કોંગ્રેસના ખાતામાં 93000 જેટલા મત મળ્યાં હતા. ત્યાર બાદની વાત કરીએ તો જીતુ ચૌધરીએ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. તો આ ચૂંટણીમાં ભાજપે તેમને જ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
ગોધરા બેઠક પર 258 મતથી ઉમેદવારની જીત
ગત ચૂંટણીની વાત કરવામાં આવે તો બીએસપી જેવા નાની પાર્ટીના ઉમેદવારોએ કોંગ્રેસને ખેલ ખરાબ કર્યો હતો. જો વાત કરીએ મુસ્લિમ વસ્તી ધરાવતી સીટ પંચમહાલના ગોધરાની તો ત્યાં ભાજપના ઉમેદવાર સી કે રાઉલે કોંગ્રેસના પ્રવિણ સિંહ ચૌહાણને 258 વોટથી હરાવ્યા હતા ત્યા ઉલ્લેખનીય છે કે, 4000 જેટલા લોકોએ નોટો અને બીએસપીને વોટ આપ્યો હતો.
ચુડાસમાં ફક્ત 327 વોટથી જીત્યાં હતાં
2017માં ભાજપના સિનિયર નેતા ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાં ફક્ત 327 વોટથી જીત્યાં હતાં. મહત્વનું છે કે, 11000 વોટ બીએસપી,એનસીપી તેમજ અન્ય અપક્ષ ઉમેદવાર લઈ ગયા હતા. જેથી લોકોનું એવું પણ માનવું છે કે, આના કારણે કોંગ્રેસને આ સીટ પર હારનો સામેનો કરવો પડ્યો હતો. ગાંધીનગરના માણસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુરેશ પટેલે ભાજપના યુવા નેતા અમિત ચૌધરીને 524 વોટથી હરાવ્યા હતા. તમને જણાવી દઈએ કે અમિત ચૌધરી 2012માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડી હતી અને જીત પણ મેળવી હતી.
સૌરભ પટેલ માત્ર 906 મતોથી જીત્યા હતા.
આદિવાસી સમુદાય માટે આરક્ષિત ડાંગ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજય પટેલને ગત ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતા. તેઓ કોંગ્રેસના મંગલ ગાવિત સામે 768 મતોથી હાર્યા હતા. ગુજરાત સરકારમાં ઉર્જા મંત્રી રહી ચુકેલા ભાજપના કદાવર નેતા સૌરભ પટેલ બોટાદ બેઠક પરથી 906 મતોની નાની સરસાઈથી જીતવામાં સફળ થયા હતા. તેમને 79,623 વોટ મળ્યા હતા તો કોંગ્રેસના ઉમેદવાર ડીએમ પટેલને 78,717 વોટ મળ્યા.
દિયોદર બેઠક કોંગ્રેસને 972 મતે મળી હતી
બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસે 2017માં દિયોદર બેઠક ભાજપ પાસેથી માત્ર 972 મતોથી છીનવી લીધી હતી. કોંગ્રેસના શિવાભાઈ ભુરિયાને 80,432 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ કેશાજી ચૌહાણને 79,460 મત મળ્યા હતા. 10 વખતના કોંગ્રેસના ધારાસભ્ય રહેલા મોહન સિંહ રાઠવા છોટા ઉદેપુર સીટ પર 1,093 મતોથી જીતવામાં સફળ થયા હતા. આ સીટ પર NOTA, AAP ઉમેદવાર અર્જુન રાઠવા અને અપક્ષ ઉમેદવાર 13,000 વોટ લઈ ગયા હતા. મોહનસિંહ ભાજપના જશુભાઈ રાઠવાને હરાવીને જીત્યા હતા.
ભાજપની રણનીતિ
ભાજપ આ વખતે સૌથી મજબુત તેવી સીટો પર થવા માંગે છે જ્યાં ગત ટર્મમાં નાના માર્જિનથી જીતી કે હારી છે તે તમામ બેઠકો પર ફરી વાર દબદબો બનાવવા માટે ભાજપ બુથ સ્તરેથી કાર્ય કરવાનું શરૂ કરી દીધુ છે તેવું ભાજપના નેતાએ જણાવ્યું હતું