ગાંધીનગરઃ ગુજરાતમાં સિંહોના એકાએક મોતને લઈને સરકાર પુરેપુરી ઘેરાઈ છે. ત્યારે આ મામલે ભાજપના જ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ ટ્વિટ કરીને સરકારની પોલ ખોલી નાખી છે. આઈ.કે.જાડેજાના ટ્વીટ પર Vtvએ રીયિલિટી ચેક કર્યું હતું. જેમાં જાડેજા સાચા સાબિત થયા છે અને સરકારની પોલ ખુલી ગઈ છે.
આ મામલે ભાજપના પ્રવક્તા આઈ.કે.જાડેજાએ ટ્વીટ કરીને જણાવ્યુ છે કે આઈએફએસ કેડરવે ફોરેસ્ટમાં જ રાખવા જોઈએ. આઈએફએસના અધિકારીઓને જુદા જુદા વિભાગમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવે છે. સાથે જ તેમણે લખ્યુ છે કે વન વિભાગમાં ખાલી અધિકારીઓની ભરતી પણ કરવી જોઇએ.
ગુજરાતમાં ફોરેસ્ટ અને વાઈલ્ડ લાઈફ ને સમૃદ્ધ બનાવવા I.F.S કેડર ને ફોરેસ્ટમાં જ રાખવી જોઈએ અને ખાલી જગ્યાઓ ભરવી જોઈએ.
ગુજરાતના 88 IFSમાંથી 10 સિનિયર 10 IFS અધિકારીઓને જંગલને બદલે અન્ય જવાબદારીમાં રાખવામાં આવ્યા છે. જેથી ગુજરાત સરકારના વન વિભાગના સંરક્ષણના દાવાઓ પોકળ સાબિત થયા છે.
કારણ કે સૌથી સિનિયર વન અધિકારીઓને વર્ષોથી સાઇડ લાઇન પોસ્ટીંગ આપવામાં આવી છે. જેને લઈને અનુભવી સિનિયર અધિકારીના અભાવથી વનતંત્ર ખાડે ગયું છે.
જુદા જુદા વિભાગોમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવેલા અધિકારીઓની યાદી
APCCF ડો. એ.કે.વર્મા દિલ્હીમાં મિનિસ્ટ્રી ઓફ પાવરમાં ડેપ્યુટેશન પર છે. તો APCCF એ.કે.ઝા વન વિભાગને બદલે હેન્ડલુમ કોર્પોરેશનમાં ફરજ બજાવી રહ્યા છે. APCCF ડો. નિરજ સિંહ દિલ્હીમાં મિનિસ્ટ્રી ઓફ કોલ એન્ડ માઇન્સમાં ફરજ બજાવી રહ્યા છે. APCCF ભરતલાલ ગુજરાતમાં વન વિભાગને બદલે રાષ્ટ્રપતિ ભવનમાં ફરજ પર છે. તો CCF એસ. કે. યાદવ વન વિભાગને ગુજરાત વોટરસેડ વિભાગમાં સીઇઓ બનાવવામાં આવ્યા છે. CCF એર.એસ.પન્વર કેન્દ્રમાં કેમિકલ અને ફર્ટિલાઇઝર વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. તો CCF ડો. જયપાલસિંહ કેન્દ્રમાં માઇન્સ વિભાગમાં પર્સનલ સેક્રેટરી છે. જ્યારે ડો. એસ કે. રંધાવાને વનને બદલે એગ્રો પ્રોસેસિંગમાં મુકવામાં આવ્યા છે. CCF અનિતા કર્ણ ગુજરાતને બદલે દિલ્હીમાં ઉદ્યોગ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. CCF ફ્રેન્કલીન ખોબુંગ કેન્દ્રમાં આયુષ વિભાગમાં ડિરેક્ટર પદે ફરજ બજાવી રહ્યા છે. જેનો મતલબ સાફ છે કે ગુજરાતના વન વિભાગના અધિકારીઓને અન્ય કામો સોંપતા ગુજરાત વન સંરક્ષણ નિષ્ફળ નિવડ્યું છે.
ત્યારે અનેક સવાલો ઉપજે છે કે ગુજરાતમાં સિંહોના એક બાદ એક મોત મામલે કોણ જવાબદાર ? આઈ.કે.જાડેજાએ ટ્વિટ કરીને પોતાની સરકારની જ પોલ ખોલી ? સિનિયર વન અધિકારીઓને સાઈડ પોસ્ટિંગ આપવાની ફરજ કેમ પડી ? શું વન અને વન્ય પ્રાણીઓના ભોગે સરકાર વિકાસ ઈચ્છે છે ? જેનું કામ વન સંરક્ષણનું છે તેવા અધિકારીઓને અન્ય જવાબદારી કેમ ? જુનિયર અધિકારીઓના કાચા કાંધે મોટી જવાબદારી આવતા કામ બગડ્યું ? શું સરકાર નવા અધિકારીઓ પાસે કામ લેવામાં નિષ્ફળ નિવડી ?