નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ બહુમતીથી 5 બેઠક દૂર છે પરંતુ હાલ એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નથી મળી. મધ્યપ્રદેશમાં અપક્ષોને સાથે લેવા ભાજપ અને કોંગ્રેસ કવાયત શરૂ કરી છે.
ત્યારે ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર સર્જાઇ છે. મધ્ય પ્રદેશમાં 230 બેઠકોના વલણ અનુસાર કોંગ્રેસ 113 બેઠકો પર ભાજપ 109 બેઠકો પર જ્યારે અન્ય 8 બેઠકો પર આગળ છે. તેવામાં સરકાર બનાવવા માટે અન્ય મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
જો કે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પોતાને મોટા સર્વેયર જણાવતા ચૌથી વખત જીતનો દાવો કરી રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે બીજેપી ઇતિહાસ રચતા ચૌથી વખત શિવરાજ સિંહના નેતૃત્વમાં સત્તામાં વાપસી કરશે? કે જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથની જોડા કોંગ્રેસની મધ્યપ્રદેશમાં વાપસી કરાવશે.
ચૂંટણી પંચ પ્રમાણે 2018માં મધ્યપ્રદેશમાં કુલ 5 03 94 086 મતદાતા છે. જેમાં મહિલા મતદાતાઓની સંખ્યા 2 40 76 693 અને પુરુષ મતદાતાઓની સંખ્યા 2 62 56 157 રહી.