ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાજ્યસભા સાંસદોને 8 ફેબ્રુઆરીએ સદનમાં હાજર રહેવા અને સરકારના વલણને સમર્થન આપવા માટે ત્રણ લાઈનનું વ્હીપ જાહેર કર્યું છે.
ભાજપે પોતાના સાંસદોને વ્હીપ જાહેર કર્યું
કંઈક મોટું થવાના એંધાણ
સંસદમાં હાજર રહેવું ફરજિયાત, ગેરહાજર રહેવા માટે વાજબી કારણ હોવું જોઈએ
ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાજ્યસભા સાંસદોને 8 ફેબ્રુઆરીએ સદનમાં હાજર રહેવા અને સરકારના વલણને સમર્થન આપવા માટે ત્રણ લાઈનનું વ્હીપ જાહેર કર્યું છે. તો વળી આ સમાચાર સામે આવ્યા બાદ ટ્વિટર પર લોકો ચિત્રવિચિત્ર વાતો પણ કરવા લાગ્યા છે. એક યુઝર્સે ટ્વિટ કરીને લખ્યું છે કે, કંઈક ખાસ થવાનું છે. રાષ્ટ્રપતિના ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી બોલશે. વિપક્ષ પ્રસ્તાવ વિરુદ્ધ સંશોધન માટે દબાણ લાવી રહ્યું છે. મને લાગે છે કે, એટલા માટે વ્હીપ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત એક યુઝર્સે લખ્યુ છે કે, ગૂગલના જણાવ્યા અનુસાર ત્રણ લાઈનવાળું પાર્ટીનું વ્હીપની સ્થિતી અનુસાર હાજર થવા અને મતદાન કરવાનો સ્પષ્ટ નિર્દેશ છે. જેનું ઉલ્લંઘનના સામાન્યથી ગંભીર પરિણામ હશે. હાજર ન રહેવાની મંજૂરી વ્હીપ દ્વારા આપી શકાય છે. પણ તેના માટે ગંભીર કારણ હોવું જોઈએ. આ ઉપરાંત અન્ય એક યુઝર્સે ક્યાસ લગાવ્યો છે કે, યુનિફોર્મ સિવિલ કોડને લઈને પ્રસ્તાવ લાવી શકે છે. જેને પાસ કરવા માટે સંખ્યા હોવી જરૂરી છે.