લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ દ્વારા રાફેલ વિમાન ડીલમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) પર હલ્લાબોલ કર્યું હતું. જો કે સુપ્રીમ કોર્ટમાં તપાસની માગને લઇને કરવામાં આવેલી અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ રાહુલ ગાંધી દ્વારા ચોકીદાર ચોર હે નો નારો આપવામાં આવ્યો હતો.
કોંગ્રેસ વિરુધ્ધ આક્રમક તેવરમાં ભાજપ
રાહુલ માફી માગે તેને લઇને દેશભરમાં પ્રદર્શન
લોકસભા ચૂંટણી બાદ એકવાર ફરી રાફેલ મુદ્દા પર કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા છે. રાફેલ મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં દાખલ પુનર્વિચાર અરજી નામંજૂર કરવામાં આવતાં હવે ભાજપ દ્વારા કોંગ્રેસ વિરુધ્ધ આક્રમક વલણ અપનાવામાં આવ્યું છે. ભાજપ દ્વારા રાહુલ ગાંધી વિરુધ્ધ આજે દેશભમાં હલ્લા બોલ કરી વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી ચૂકી છે.
ભાજપ કાર્યકર્તાઓ આજે દેશભરમાં રાહુલ ગાંધી માફી દેશના લોકોની માફી માગે ને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતાં માગ કરી છે કે રાહુલ ગાંધી દેશના લોકોની માફી માગવી જોઇએ. ગૃહ મંત્રી અમિત શાહ સિવાય કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને રાજનાથ સિંહે ટ્વિટ કરી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
જો કે ભાજપના આકરા પ્રહાર સામે રાહુલ ગાંધીએ જસ્ટિસ કેએમ જોસેફના નિવેદનને ટ્વિટ કરી પલટવાર કર્યો હતો. રાહુલ ગાંધીએ સંયુક્ત સંસદીય સમિતિ પાસે આ મામલે તપાસ કરાવાની જૂની માગણીને લઇને ફરી રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયની સરકારમાં રહેલા મંત્રી યશંવત સિંહા, અરૂણ શૌરી અને પ્રશાંત ભૂષણની પુનર્વિચાર અરજી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની ખંડપીઠે ફગાવી દીધી હતી. સુપ્રીમે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે રાફેલ મામલે કોઇપણ કેસ અથવા તપાસની જરૂર નથી.