વિધાનસભામાં વિપક્ષ નેતાને લઈને સી.આર પાટીલે કહ્યું કે, લોકશાહીમાં મજબૂત વિપક્ષ હોવો જોઈએ, પરંતુ તેની જવાબદારી શાસક પક્ષની નથી હોતી. તેના માટે વિરોધ પક્ષે ખુદ મહેનત કરવી પડે છે અને મહેનત કરીને મજબૂત બનવું પડે છે.
તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ ભાજપે 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાંથી ગુજરાત પરત ફર્યા બાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે ને સંબોધન કર્યું હતું. આ દરમિયાન સી.આર પાટીલે ગુજરાતની સૌથી મોટી જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો. પાટીલે કહ્યું હતું કે, ગુજરાતમાં મોદી મેજીક ચાલ્યું. રાજ્યની જનતાએ ફરી એકવાર તેમનામાં અતૂટ વિશ્વાસ મૂક્યો. જેના કારણે પાર્ટી સત્તા વિરોધી લહેર હોવા છતાં જીતી ગઈ.
વિધાનસભામાં વિપક્ષને લઈને આપ્યું આ નિવેદન
સી.આર પાટીલે હુંકાર ભર્યો કે 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ઘણા વધુ રેકોર્ડ બનાવવા જઈ રહી છે. આ તકે સી.આર પાટીલને પૂછવામાં આવ્યું હતું કે, ભાજપે ઘણી સીટો જીતી છે. કોંગ્રેસ પાસે માત્ર 17 સીટો જ છે, આવી સ્થિતિમાં મજબૂત વિપક્ષ માટે વિધાનસભામાં તેને નેતા વિપક્ષનું પદ મળશે? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, લોકશાહીમાં મજબૂત વિપક્ષ હોવો જોઈએ, પરંતુ તેની જવાબદારી શાસક પક્ષની નથી હોતી. તેના માટે વિરોધ પક્ષે ખુદ મહેનત કરવી પડે છે અને મહેનત કરીને મજબૂત બનવું પડે છે. સી.આર પાટીલે સીધેસીધું કંઈ કહ્યું નહીં, પરંતુ તેમણે પાર્ટીની લાઇનને સ્પષ્ટ કરી દીધી હતી.
અમિત ચાવડા બન્યા છે ધારાસભ્ય દળના નેતા
કોંગ્રેસ પાર્ટીએ પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ધારાસભ્ય દળના નેતા અને શૈલેષ પરમારને ઉપનેતા તરીકે નિયુક્ત કર્યા છે. કોંગ્રેસના નેતા મનોવૈજ્ઞાનિક રીતે વિપક્ષથી 2 સીટ દૂર છે. આવી સ્થિતિમાં તેઓ આ પદ માટે દાવો નથી કરી શકતા. આવી સ્થિતિમાં હવે બોલ વિધાનસભા અધ્યક્ષની ઉપર છે કે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતાને વિરોધ પક્ષના નેતાનો દરજ્જો આપે છે કે નહીં. પાટીલના નિવેદન બાદ હવે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતાવિહીન બની જશે. આની શક્યતાઓ વધી ગઈ છે. કોંગ્રેસને વિપક્ષના નેતાનો દરજ્જો મળવાની શક્યતા ઓ ત્યારે ધૂંધળી થઈ ગઈ હતી. જ્યારે વિપક્ષ નેતાના બંગલાને શિક્ષણ મંત્રી કુબેરસિંહ ડીંડોરને ફાળવવામાં આવ્યો હતો.
આવું પ્રથમ વખત બન્યું
ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં આવું પ્રથમ વખત હશે કે લાંબા સમય સુધી વિધાનસભામાં કોઈ પણ વિરોધ પક્ષના હોય. રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી છેલ્લા 27 વર્ષથી વિપક્ષમાં છે. છેલ્લા 27 વર્ષમાં કોંગ્રેસમાંથી 9 નેતાઓને વિપક્ષના નેતા બનવાની તક મળી. જેમાં અમરસિંહ ચૌધરી, નરેશ રાવલ, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા, મોહન રાઠવા, પરેશ ધાનાણી અને સુખરામ રાઠવાના નામનો સમાવેશ થાય છે.