ગુજરાતમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે એવામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ખોટી ખોટી ચર્ચાઓમાં સમય વિતાવી રહ્યા છે. ચીખલી-વલસાડના સંયુક્ત ભાજપ ગૃપમાં ગાંધીજીને લઈને અણછાજતી ટીપ્પણીઓ બહાર આવી છે. આ કારણે વિવાદનો મધપૂડો છેડાઈ ગયો છે. ગાંધીજી કરતા નથ્થુરામ ગોડસેને સારા ગણાવતા આ નેતાઓ પ્રજાના પ્રતિનિધિ છે તે ભાન કદાચ ભુલી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે.