એર ઇન્ડિયા અને BPCL ના વેચાણને લઇને નાણા મંત્રી નિર્મલા સીતારમણના નિવદેનને લઇને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રની મોદી સરકાર શ્રેષ્ઠ સરકારી ઉપક્રમોને ખોખલું કરી તેને વહેંચવાનું કામ કરી રહી છે.
જહા ડાલ-ડાલ પર સોને કી ચિડિયા કરતી હે બસેરા, વો ભારત દેશ હે મેરા
ભારતની સૌથી શ્રેષ્ઠ સંસ્થાઓને ખોખલા કરી વહેંચવાનું કરી રહી છે મોદી સરકાર
પ્રિયંકા ગાંધીએ એક મીડિયા રિપોર્ટના અહેવાલ આપતા ટ્વિટ કર્યું કે, 'જહા ડાલ-ડાલ પર સોને કી ચિડિયા કરતી હે બસેરા, વો ભારત દેશ હે મેરા' આપણી સંસ્થાઓ આપણી શાન છે. આ જ આપણી 'સોને કી ચિડિયા' છે.
‘जहाँ डाल-डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा।’
हमारे संस्थान हमारी शान हैं। ये ही हमारी ‘सोने की चिड़िया’ हैं। भाजपा ने वादा तो देश बनाने का किया था लेकिन काम भारत के बेहतरीन संस्थानों को खोखला कर उन्हें बेंचने का कर रही है। दुखद।https://t.co/76t7hlxgxN
પ્રિયંકાએ દાવો કર્યો છે કે ભાજપે વચન તો દેશ બનાવાનું કર્યું હતું પરંતુ કામ ભારતની સૌથી શ્રેષ્ઠ સંસ્થાઓને ખોખલા કરી વહેંચવાનું કરી રહી છે, જે એક દુઃખની વાત છે.
ઉલ્લેખનીય છેકે નાણા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે કહ્યું હતું કે સરકાર માર્ચ 2020 સુધી દેશની સરકારી એરલાઇન એર ઇન્ડિયા અને ઓઇલ માર્કેટિંગ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ને વેચવાની પ્રક્રિયા પુરી કરી લેવામાં આવશે. સરકાર દ્વારા આ બે કંપનીઓના વેચાણ બાદ સરકારી ખજાનામાં આ નાણાંકીય વર્ષમાં એક લાખ કરોડ રૂપિયા આવવાની આશા છે.