ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર ATSએ નિષ્ફળ બનાવ્યું છે. ATSએ એક આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીએ મોટો ખુલાસો કર્યો છે. પાકિસ્તાનથી હત્યાની સોપારી આપવામાં આવી હતી. ATSએ ઝડપેલો આરોપી મોહમ્મદ રફીક ઉર્ફે ઈરફાન શેખ રિલીફ રોડની વિનસ હોટલમાં રોકાયો હતો. આરોપી મંગળવારે સવારે હોટલમાં આવ્યો હોવાની વિગત પ્રાપ્ત થઇ છે.
ઝડફિયાએ કહ્યું મને લાગતુ હતું કે કોઈ મારી રેકી કરી રહ્યું છે
ભાજપ નેતા ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જેમાં ATSએ છોટા શકીલના શાર્પશૂટરની ધરપકડ કરી હતી. જેમાં પૂછપરછમાં આ ખુલાસો થયો હતો.
ATSએ ધરપકડ કરેલો આરોપી અમદાવાદની રીલીફ રોડ પરની હોટલામાં રોકાયો હતો. શહેરની રિલિફ રોડ પર આવેલ વિનસ હોટલમાં રોકાયો હતો.
ઈરફાન શેખે કર્યુ હતું ફાયરિંગ
અમદાવાદમાં ATSની ટીમ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. ATSએ એક આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીનું સાચું નામ ઈરફાન શેખ હતું પરંતુ તે હોટલમાં મોહમ્મદ રફીકના ખોટા નામે રોકાયો હતો. ઈરફાન ઈરફાન શેખ મુળ મુંબઇના ચેમ્બુરનો રહેવાસી હતો અને એક અઠવાડિયાથી આરોપીઓ ગુજરાતમાં રોકાયા હતા. ગઇકાલે ભાજપ કમલમની શાર્પ શૂટરે રેકી કરી હતી. આરોપી પાસેથી 2 હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. ATSની ટીમ પર રિલીફ સિનેમા નજીક વિનસ હોટલમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. છોટા શકિલના સાગરિતને પકડવા જતા આરોપીઓએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
હોટલ સ્ટાફે જણાવી સમગ્ર કહાની
જો કે હોટલના કર્મચારીઓ દ્વારા જણાવામાં આવ્યું હતું કે આોપી મંગળવારે સવારે હોટલમાં આવ્યો હતો. આરોપી હોટલમાં રોકાયા બાદ બપોરના સમયે બહાર ગયો હતો. જો કે ત્યારબાદ બેગમાં હથિયાર લાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
હોટલના કર્મચારીએ કહ્યું છે કે રાત્રે ફલાઇટમાં મુંબઈ કે બીજી કોઈ જગ્યાએ બહાર જવાનું હોવાનું જણાવ્યું હતું. જો કે પોલીસ બાતીમના આધારે હોટલ પર પહોંચી ગઇ હતી અને સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો.
પાકિસ્તાનથી અપાઈ હતી સોપારી
ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર ATSએ નિષ્ફળ બનાવ્યું છે. ATSએ એક આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપી મોહમ્મદ રફીકે મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે પાકિસ્તાનથી હત્યાની સોપારી આપવામાં આવી હતી. ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવાનું ષડયંત્ર હતું.
મને લાગતું જ હતું કે મારી કોઈ રેકી કરી રહ્યું છે : ઝડફિયા
ભાજપ નેતા ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ ઝડફિયાએ કહ્યું, 'મારી સતર્કતાના કારણે તે લોકો સફળ ન થયા, મારું કોઈ દુશ્મન નથી, મને ખબર ન હતી મને પ્રદીપસિંહે કહ્યું છે'#GordhanZadafia#ATS#gujaratpic.twitter.com/z2AUSZA0HQ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 19, 2020
યરિંગની ઘટના બાદ ગોરધન ઝડફિયાની સુરક્ષા વધારવા આદેશ આપી દેવાયા છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગોરધન ઝડફિયા સાથે વાત પણ કરી હતી. આ મામલે ગોરધન ઝડફિયાએ કહ્યું કે ગૃહ વિભાગ તરફથી મને આ સમગ્ર મામલે માહિતી મળી છે. જો કે મને લાગતુ હતું કે કોઇ મારી રેકી કરી રહ્યું છે. વલસાડ, નવસારી જિલ્લામાં સારી જાસૂસી થઇ હતી. હવે ગૃહવિભાગ સમગ્ર મામલે તપાસ કરશે.
ઉલ્લેખનીય છે કે ગોરધન ઝડફિયા ભાજપના દિગ્ગજ નેતા છે. અગાઉ પૂર્વ ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે અને લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશના સહપ્રભારી રહી ચૂક્યા છે.