સંશોધિત નાગરિકતા કાયદા પર BJP ને સહયોગી પાર્ટીઓના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. BJP ની સહયોગી શિરોમણી અકાલી દલની માંગ છે કે, આ કાયદામાં મુસ્લિમ ધર્મના લોકોને પણ સામેલ કરવામાં આવવા જોઇએ. શિરોમણી અકાલી દલના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે કહ્યું કે, ધર્મના આધારે ભારતમાં ભેદભાવ ન કરવો જોઇએ.
BJP ને સહયોગી પાર્ટીઓના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે
શિરોમણી અકાલી દલની માંગ, CAAમાં મુસ્લિમ ધર્મના લોકોને પણ સામેલ કરવામાં આવે
સુખબીર સિંહ બાદલે કહ્યું કે, ધર્મના આધારે ભારતમાં ભેદભાવ ન કરવો જોઇએ
સુખબીર સિંહ બાદલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, અમે દ્રઢતાથી અનુભવીએ છીએ કે, મુસ્લિમ સમુદાયને તેમા (CAB) સામેલ કરવા જોઇએ. હું મારી પાર્ટી તરફથી બોલી રહ્યો છું અને પાર્ટી ખુબ જ સ્પષ્ટ છે કે, ભારત સરકારને નાગરિકતા સંશોધન કાયદામાં સામેલ કરવા જોઇએ. એક સંશોધન દ્વારા આમ કરવું જોઇએ. જનતા પણ આમ જ અનુભવી રહી છે અને દેશનો પણ આ જ મુડ છે.
તેઓએ આગળ કહ્યું કે, આપણા દેશમાં તમામ ધર્મોના લોકો રહે છે અને આ જ આપણી તાકાત છે. આપણે એક ટીમની જેમ એક સાથે છીએ. તમે કયા કારણોસર તેઓને (મુસ્લિમો) સામેલ નથી કર્યા? મને વ્યક્તિગત રીતે લાગી રહ્યું છે કે, સરકારે મુસ્લિમોને પણ સામેલ કરવા જોઇએ.
શિરોમણી અકાલી દળના પ્રમુખે કહ્યું કે, 'મેં સંસદમાં કહ્યું હતું કે, અમારા (શીખ) ગુરુઓએ અન્ય ધર્મોના લોકો માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું અને અમારો ધર્મ અમને 'સરબત દા ભલા' (સૌનું કલ્યાણ) શીખવે છે. અમે વિનમ્રતાપૂર્વક સરકારને નિવેદન કરીએ છીએ કે, તેઓ તેમને પણ શામેલ કરે.'
પીએમ મોદી NRC પર સ્પષ્ટતા કરે
શિરોમણી અકાલી દલએ જ્યાં CAA પર મોદી સરકારની વિરુદ્ધ વલણ અપનાવ્યું છે, તો બીજી તરફ જેડીયૂએ નેશનલ રજિસ્ટર સિટિઝન (NRC) પર મોરચો ખોલ્યો છે. જેડીયૂ નેતા કેસી ત્યાગીએ કહ્યું કે, પીએમ મોદી એનઆરસી પર પોતાની વાત સ્પષ્ટ કરે. તેની સાથે જ માંગ કરવામાં આવી છે કે, તેઓએ વિપક્ષની પાર્ટીઓ સાથે પણ વાતચીત કરવી જોઇએ.
જનતા દળ યૂનાઇટેડએ વર્તમાન રાજકીય સ્થિતિ પર એનડીએની ઇમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરી છે.