એક ખાનગી ચેનલના ડિબેટ દરમિયાન ભાજપના પ્રવકતા ગૌરવ ભાટિયાએ કહ્યું કે ખેડૂતો અને સરકાર વચ્ચે ડેડલોક થઇ જ ન શકે, કારણ કે PM મોદી પાસે દરેક તાળાની ચાવી છે. ખેડૂતોના મુદ્દે વાતચીત જ ચાવી છે.
ખાનગી ચેનલની ડિબેટમાં KSSના અધ્યક્ષ પુષ્પેન્દ્ર સિંહે કહ્યું કે એસોચેમ દ્વારા જણાવામાં આવ્યું કે અમારું ઘણું નુકસાન થયું છે. અમે લોકો પ્રદર્શ કરવા માટે રામલીલા મેદાન જંતર-મંતર આવી રહ્યાં હતા. ત્યારે વચ્ચે ખેડૂતોને સરકારે રોક્યા છે.
ખેડૂતોને જો રસ્તો આપવામાં આવે તો જંતર-મંતર અથવા રામલીલા મેદાનમાં જઇને બેસી ગાય હોત. એસોચેમનું નુકસાન થયું છે તો તેમની જવાબદારી ખેડૂતોની નહી પરંતુ સરકારની છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં 8 લાખ કરોડ રુપિયાની લોન ખોટા ખાતામાં નાંખી દેવાય છે. આ હિસાબ પણ એસોએચમવાળાએ આપવો જોઇએ.
પુષ્પેંન્દ્ર સિંહે કહ્યું કે વાતચીતના માધ્યમથી જ સમાધાન નિકળી શકે છે. આ વાતને લઇને ખેડૂત સ્પષ્ટ છે. આ મામલે ખેડૂતોઓએ કોઇ જીદ કરી નથી. સતત નુકસાનની ખેતી કર્યા પછી ખેડૂત દેશના લોકોનું પેટ ભરે છે.
અમે મારી દુઃખ કહેવા પોતાના દ્વારા ચૂંટાયેલી સરકાર પાસે આવ્યાં છીએ. ન તો આમાં કોઇની હાર છે અથવા જીત છે. જો કાયદાઓથી કોઇને મુશ્કેલી પડે છે તો તેને પરત લેવામાં મુશ્કેલી છે. જીદ પર તો સરકાર અડી ગઇ છે.
ચૌધરીએ કહ્યું કે અમારુ માનવું છે કે જેમ સુપ્રીમ કોર્ટે કહ્યું છે જયાં સુધી કાયદાને લઇને કોઇ સમજૂતિ ન બને ત્યાં સુધી આ કાયદા પર રોક લગાવી દેવામાં આવે. MSPને ખાનગી ક્ષેત્રમાં પણ ઉમેરી શકાય છે. કોર્પોરેટ જો MSP દેશે તો તેને કોઇ નુકસાન નહીં થાય પરંતુ મરવા પડેલા ખેડૂતને જરુરીથી મદદ મળી જશે.
જેના ભાજપના ગૌરવ ભાટિયાએ કહ્યું નરેન્દ્ર મોદી ખેડૂતોએ પસંદ કરેલા PM બન્યા છે ભાટિયાએ કહ્યું કે ડેડલોક હોય જ શકે નહીં કારણ કે PM મોદીને દરેક તાળાને ખોલતા આવડે છે. આ મામલે માત્ર ને માત્ર ચાવી વાતચીત છે.
જ્યારે ભાજપના પ્રવકતાને પુછવામાં આવ્યું કે જો સરકાર પાસે આ તાળાની ચાવી છે તો છુપાવી કેમ રાખી છે. જેના પર ભાટિયાએ કહ્યું દર્દ અમને ખેડૂતો માટે મહેસૂસ થાય છે અમે શબ્દોમાં રજૂ કરી શકીએ એમ નથી. ખેડૂતોનો ઘણો બીજો બહોળો વર્ગ છે જે આ કાયદાને સમર્થન કરે છે. દાયકાઓથી ખેડૂતોના પગમાં જે ચેન બાંધવામાં આવી હતે તોડી નાંખવામાં આવી.