આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના અવસર પીએમ મોદીએ CAAથી લઈને કૃષિ કાયદા સુધી તમામ મુદ્દાઓ પર કાર્યકાર્તાઓને સંબોધિત કર્યા હતા
બંગાળમાં ભાજપ કાર્યકર્તાઓ પર થયા હુમલા : PM મોદી
દેશમાં કેટલાય પ્રકારના ભ્રમ ફેલાવવામાં આવી રહ્યા છે : PM મોદી
ભાજપ ચૂંટણી જીતવાની મશીન નથી : PM મોદી
કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે ત્યારે પીએમ મોદીએ આજે ભાજપ કાર્યકાર્તાઓને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે ભાજપ માત્ર ચૂંટણી જીતવાની મશીન નથી, અમને દરેક સંપ્રદાયમાંથી સમર્થન મળી રહ્યું છે.
CAA-કૃષિ કાયદા પર મોટું નિવેદન
PM મોદીએ કહ્યું કે CAA-કૃષિ કાયદા પર લોકોને ભરમાવવામાં આવી રહ્યા છે. આ બધા પાછળ એક ષડયંત્ર છે અને રાજકીય અસ્થિરતા પેદા કરવાનું લક્ષ્ય છે.
પીએમ મોદીએ કહ્યું કે જે પાર્ટીઓએ સેક્યુલરીઝમનું માસ્ક પહેર્યું હતું તે હવે ઉતરી ગયું છે. અહિયાં સેક્યુલરીઝમનો અર્થ થાય છે, માત્ર અમુક લોકો માટે જ યોજનાઓ, વૉટબેંક માટે જ યોજના બનાવવી. જે બધા માટે યોજના અને નીતિ બનાવે તેમને આ લોકો કમ્યુનલ કહે છે.
ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે કહેવામાં આવી રહ્યું છે કે નાગરિકતા લઈ લેવામાં આવશે, બંધારણ બદલી નાંખવામાં આવશે અને ખેડૂતોની જમીન પણ ઝૂંટવી લેવામાં આવશે. કેટલાક ભાજપ સાથે દુશ્મનીના નામે આ બધુ કરી રહ્યા છે. ભાજપના દરેક કાર્યકાર્તાઓએ સતર્ક રહેવાની જરૂર છે અને લોકોને પણ સાવધાન કરવાની જરૂર છે.
ચૂંટણી જીતવાની મશીન નથી ભાજપ : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે ભાજપ ચૂંટણી જીતી જાય તો કહેવામાં આવે છે કે ભાજપ ચૂંટણી જીતવાની મશીન છે. જૉ કોઈ પાર્ટી ચૂંટણી જીતી જાય તો વાહવાહી કરવામાં આવે છે. આવા લોકો ભારતના લોકોની આશા નથી વાંચી શકતા. અમે સરકારમાં રહીએ કે વિપક્ષમાં અમે હંમેશા જનતા સાથે જોડાયેલા રહીએ છીએ.
અટલજીએ સરકાર પડવા દીધી : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે અમારા માટે વ્યક્તિથી મોટો દળ અને દળથી મોટો દેશ છે. એક સમય હતો જ્યારે અટલજીએ એક વોટથી સરકાર પડવા દીધી પણ નિયમો સાથે સમજૂતી ન કરી.
પદ્મ પુસકારોમાં કર્યું ઐતિહાસિક કામ : મોદી
પીએમ મોદીએ કહ્યું કે જે ભાજપના વિરોધી છે તેમનું પણ અમે સન્માન કરીએ છીએ. આજે દેશમાં જેના પગમાં પહેરવા જૂતાં નથી તેમને પણ પદ્મ પુરસ્કાર મળી રહ્યા છે. ભારત સરકારે જે કામ કર્યું છે તે ઐતિહાસિક છે.