એવામાં અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે ભાજપ અને MNS વચ્ચે ગઠબંધન થઈ શકે તેમ છે.
ભાજપ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે કરી રહી છે પ્લાન
બંને નેતાઓ વચ્ચે લગભગ 1 કલાક સુધી વાત ચાલી
છેલ્લા 15 દિવસમાં આ છે બીજી મુલાકાત
ભાજપ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે કરી રહી છે પ્લાન
મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધન તૂટયા બાદ ભારતીય જનતા પાર્ટી પોતાનું વર્ચસવ મજબૂત કરવા માટે ફરી મહેનત પર લાગી ગઈ છે. જેમાં પાર્ટી વિસ્તારની પાર્ટી સાથે મળી પોતાની પકડ મજબૂત કરવામાં લાગી ગઈ છે. આ બધા વચ્ચે વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનના પ્રમુખ રાજ ઠાકરે સાથે મુંબઈમાં મુલાકાત કરી હતી. આ બંને નેતાઓની મુલાકાતથી રાજકારણ એકડમ ગરમાયું છે.
બંને નેતાઓ વચ્ચે લગભગ 1 કલાક સુધી વાત ચાલી
શુક્રવારે આ બંને નેતાઓ વચ્ચે લગભગ 1 કલાક સુધી વાત ચાલી હતી. આ બેઠકમાં રાજ ઠાકરે સહિત MNSના ઘણા નેતાઓ પણ હાજર રહ્યા હતા. એવામાં અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે ભાજપ અને MNS વચ્ચે ગઠબંધન થઈ શકે તેમ છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 15 દિવસમાં રાજ ઠાકરે અને ચંદ્રકાંત પાટિલની આ બીજી મુલાકાત છે. જેને લઈ હવે રાજકારણમાં ઘણી વાતો ચાલી રહી છે. સૂત્રોના કહ્યા મુજબ રાજ ઠાકરે સાથે BJP મુંબઈ અને પૂણે મહાનગર પાલિકાની ચૂંટણીને લઈ વાતચીત ચાલી રહી છે.
15 દિવસમાં આ બીજી મુલાકાત
પણ BJPએ આ માત્ર એક સામન્ય મુલાકાત હોવાનું કહી આ વાત પર વિરામ મૂકી દીધું છે. તમને જણાવી દઈએ કે મુંબઈ નગર નિગમ ચૂંટણી આવતા વર્ષે થવાની છે અને આ માટે જ BJP અને MNS ગઠબંધન કરી શકે છે. કેટલાક દિવસો પહેલા જ આ બંને પાર્ટીઓના નેતા એકબીજાને મળ્યા હતા.