ત્રિપુરા વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ પ્રદેશના ઘણા જિલ્લામાં હિંસાના સમાચાર મળી રહ્યા છે. ખાસ કરીને રાજધાની અગરતલાની પાસે બાંગ્લાદેશની સીમાથી લાગેલા વિસ્તારો સાથે.
પશ્વિમ ત્રિપુરા પ્રશાસનને હિંસાને જોતા ધારા 144 લગાવી દીધી છે. વામપંથી કાર્યકર્તાઓનો આરોપ છે કે ચૂંટણી જીત્યા બાદ BJPના સમર્થક એમના કાર્યલયોને જ નહીં પરંતુ એમના નેતાઓ અને કાર્યકર્તાઓને પણ ટાર્ગેટ બનાવી રહી છે.
દક્ષિણ ત્રિપુરામાં આ પ્રકારની ઘટના સામે આવી છે. બેલોનિયા સબડિવિઝનમાં બુલડોઝરની મદદથી રશિયા ક્રાંતિના નાયક વ્લાદિમીર લેનિન મૂર્તિને તોડી નાંખવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રશિયા ક્રાંતિએ નાયક વ્લાદિમીપ લેનિનની મૂર્તિ તોડતી વખતે લોકોએ ભારત માતાની જયના નારા પણ લગાવ્યા.
પોલીસ પ્રમાણે ભાજપ સમર્થકોએ બુલડોઝર ડ્રાઇવરને દારૂ પી ને આ ઘટનાને અંજામ આપ્યો. હાલમાં પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે અને બુલડોઝરને સીઝ કરી દીધું છે.
આ ઘટના પર સીપીઆઇએ કડક પ્રતિક્રિયા આપતાં નારાજગી વ્યક્ત કરી છે. સાથે વામપંથી કેડરોં અને ઓફિસોનું લિસ્ટ જારી કરતા પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ પર એમના કાર્યકર્તાઓને ડરાવવા અને મનમાં ડર પેદા કરવાનો આરોપ લગાવ્યો છે.
સતત થઇ રહેલી હિસાના ડરથી સીપીએમના નેતા અને કાર્યકર્તા પણ ડરેલા છે. અગરતલાથી સીપીએમના પૂર્વ ધારાસભ્ય ઝુમુ સરકાર જે આ વખત ચૂંટણી હારી ગયા અને એક ન્યૂઝ ચેનલને એમને દરરોજ હુમલાની ધમકીઓ મળી રહી છે.
તો બીજી બાજુ BJP નેતાઓનું કહેવું છે કે સીપીએમ વાળા પાસે કોઇ બીજો મુદ્દો રહ્યો નથી. એ અમને બદનામ કરવા ઇચ્છે છે. સીપીએમના કાર્યલયોને તોડવામાં આવ્યા એમાં પણ સીપીએમનો હાથ હતો.