વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે વિજય સંકલ્પ સભાને સંબોધિત કરશે, 'હર ઘર તિરંગા અભિયાન' હેઠળ 20 કરોડ લોકોને એક સાથે લાવવામાં આવશે
ભાજપની લોકસભા ચૂંટણી 2024ની તૈયારી
'હર ઘર તિરંગા' અભિયાનથી 20 કરોડ લોકો સુધી પહોંચવાનો લક્ષ્ય
કારોબારી બેઠકમાં ભાજપે બે સંકલ્પ લીધા
રાજનીતિક અને આર્થિક અને ગરીબોનું કલ્યાણના સંકલ્પ
ભારતીય જનતા પાર્ટીએ 2024ની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચ વધારવા અને લોકોને ભાજપ સાથે જોડવા માટે 'હર ઘર તિરંગા' સહિત અનેક અભિયાનો ચલાવવામાં આવશે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીતનો શ્રેય ગરીબો માટે મોદી સરકારના કલ્યાણકારી પ્રયાસોને આપ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે વિજય સંકલ્પ સભાને સંબોધિત કરશે.
હૈદરાબાદની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
શનિવારે હૈદરાબાદમાં શરૂ થયેલી બે દિવસીય રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠકમાં પાર્ટીની પહોંચ વધારવાની વ્યૂહરચના ઘડવામાં આવી હતી. બેઠક પહેલા પાર્ટીના ઉપાધ્યક્ષ વસુંધરા રાજેએ કહ્યું હતું કે, "બેઠકમાં તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ અને વર્તમાન રાજકીય વાતાવરણ પર ચર્ચા કરવામાં આવશે." આ દરમિયાન બે ઠરાવો પણ લેવામાં આવશે. પહેલું રાજકીય અને બીજું આર્થિક અને ગરીબોના કલ્યાણને લગતું.
20 કરોડ લોકોને એક સાથે લાવવામાં આવશે
પાર્ટીના ઉપાધ્યક્ષ વસુંધરા રાજેએ કહ્યું કે, આ સિવાય પાર્ટી તેલંગાણાની રાજકીય સ્થિતિ પર પણ નિવેદન આપશે. તેમણે કહ્યું કે, 'હર ઘર તિરંગા અભિયાન' હેઠળ 20 કરોડ લોકોને એક સાથે લાવવામાં આવશે. આ ઉપરાંત સરકારી યોજનાઓના 30 કરોડ લાભાર્થીઓ સુધી પહોંચવા માટે એક અભિયાન પણ ચલાવવામાં આવશે.
પ્રધાનમંત્રી આજે વિજય સંકલ્પ સભાને કરશે સંબોધિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે વિજય સંકલ્પ સભાને સંબોધિત કરશે. માનવામાં આવે છે કે, મોદી આ રેલીથી 2023માં યોજાનારી તેલંગાણા વિધાનસભા માટે ચૂંટણીનું બ્યુગલ વગાડશે. બે દિવસીય ભાજપ વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા શનિવારે હૈદરાબાદ પહોંચેલા પીએમ મોદી રવિવારે સાંજે જનતાની વચ્ચે જશે અને તેમને સંબોધિત કરશે.
વિપક્ષી પાર્ટીઓ પોતાના પરિવારને સશક્ત બનાવી રહી છેઃ નડ્ડા
હૈદરાબાદ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે કહ્યું હતું કે, ભાજપ ગરીબોને સશક્ત કરવામાં, તેમના કલ્યાણ માટે કામ કરી રહી છે, જ્યારે વિપક્ષી પાર્ટીઓ માત્ર તેમના પરિવારોને મજબૂત બનાવી રહી છે. વિપક્ષ કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી નીતિઓને સતત નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.