મોદી કેબિનેટમાં સામેલ વિદેશ મંત્રી એસ. જયશંકરને ભાજપ હવે રાજ્યસભાથી સાંસદ મોકલવાની તૈયારીમાં છે. એક સમાચાર અનુસાર, જયશંકર ગુજરાતથી રાજ્યસભા મોકલી શકાય છે.
પહેલા એમને તમિલનાડુથી રાજ્યસભા સભ્ય બનાવવાની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ એઆઇડીએમકે સાથે સમીકરણ ન બની શકતા એમને ગુજરાત મોકલવાનો નિર્ણય લેવાયો છે. અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીના લોકસભા ચૂંટણી જીત્યા બાદ અને રાજ્યસભાથી રાજનામું આપ્યા બાદ ગુજરાતથી ભાજપની બે બેઠક ખાલી થઇ છે.
લોકસભા ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન કરનારી એઆઇડીએમકેએ નરેન્દ્ર મોદી કેબિનેટમાં જગ્યા ન મળી શકી. તમિલનાડુની 39 માંથી 38 લોકસભા બેઠક પર ચૂંટણી યોજાઇ અને ભાજપની સહયોગી પાર્ટીને એકમાત્ર લોકસભા બેઠક થેણીમાં જીત મળી શકી.
એઆઇએડીએમકે પર પોતાના કોટાના ચાર રાજ્યસભા બેઠકમાંથી એક બેઠક ભાજપ પર આપવાનો આરોપ છે. જે 24 જૂલાઇએ ખાલી થવા જઇ રહી છે. ચૂંટણી પહેલા થયેલી સમજૂતીના આધારે એણે એક બેઠક અન્ય સહયોગી પાર્ટી પીએમકેને આપવી પડશે.
ઉપ ચૂંટણીમાં 22 વિધાનસભા બેઠકમાંથી 13 બેઠકો પર મળેલ કારમી હાર બાદ એ નક્કી છે કે રાજ્યસભા ચૂંટણીમાં તેને ડીએમકેથી પડકાર મળશે. હાલમાં જ રાજ્યની 22 સીટો માટે સંપન્ન વિધાનસભા ઉપચૂંટણીમાં ડીએમકેને 13, જ્યારે એઆઇડીએમકેને 9 બેઠક પર જીત મળી છે.
મોદી કેબિનેટમા સામેલ વિદેશ મંત્રી એસ.જયશંકરને ભાજપ પહેલા તમિલનાડુથી રાજ્યસભા મોકલવા માંગતી હતી, કેમકે તમિનાડુ એમનું ગૃહ રાજ્ય છે. બાદમાં નક્કી થયું કે જયશંકરને ગુજરાતથી રાજ્યસભા મોકલી શકાય છે. જેનુ કારણ, ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠક ખાલી થઇ છે. આપને જણાવીએ કે, તમિલનાડુની કન્યાકુમારી લોકસભા બેઠક જીત્યા બાદ કોંગ્રેસ નેતા એચ વસંત કુમારે બુધવારે નાનગુનારી વિધાનસભા બેઠક પરથી રાજીનામુ આપ્યું છે.