ગાંધીનગર કમલમ ખાતે ભાજપની કારોબારી બેઠકમાં થયેલી ચર્ચા અને નિર્ણયો બાબતે કેન્દ્રિય મંત્રી રૂપાલાએ માહિતી આપી હતી.
કમલમમાં ભાજપની કારોબારી બેઠક
ભાજપની કારોબારીમાં નેતાઓને અપાયુ ટાસ્ક
SC,ST,OBC પર ફોકસ કરવા મંથન કરાયુ
ગુજરાતમાં સત્તાપક્ષથી લઈ વિપક્ષ હવે ચૂંટણી મોડમાં આવી ગયા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓએ આગામી ચૂંટણીઓને લઈ બેઠકો અને સભાઓનૌ દૌર શરૂ કરી દીધો છે. આગામી ચૂંટણીમાં ભાજપ ફરીવાર કેવી રીતે સત્તામાં આવી શકે તે અંગે ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની કારોબારી બેઠક મળી હતી. જેમાં મોટા ભાગના પ્રદેશના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં બુથ લેવલે કામગીરીની ચર્ચા થઈ હતી. તો સાથે ભાજપ દ્વારા SC,ST,,OBCને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં નેતાઓને OBC, SC અને ST સમાજ પર ફોકસ રાખવા તેમજ ગ્રામીણ વિસ્તારમાં મંડળીઓ અને ખેડૂતો સાથે સંવાદ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
2022ની ચૂંટણી મુદ્દે ભાજપમાં ગહન મંથન
ચૂંટણી પહેલાં કમલમમાં ભાજપની કારોબારી બેઠક મળી હતી. જેમાં OBC, SC અને ST સમાજ પર ફોકસ રાખવાના આદેશઓ અપાયા હતા. કારોબારીમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મુદ્દાઓ પર મહામંથન કરવામાં આવ્યું હતું.બન્ને વિસ્તારમાં ભાજપના કાર્યકરોને વધારે કામગીરી કરવા રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ OBC, SC અને ST સમાજના આગેવાનોને આગળ લાવવા અને ગ્રામીણ વિસ્તારમાં મંડળીઓ અને ખેડૂતો સાથે સતત સંવાદ કરવા સૂચન આપવામાં આવ્યું હતું.કેન્દ્ર સરકારની કામગીરીને લોકો સુધી પહોંચાડવા નિર્દેશ આપ્યો હતો. સાથે જ રાજ્યમાં ક્લસ્ટર પ્રમાણે ફોકસ કરવા મંથન કરવામાં આવ્યું હતું.
પછાતોને લઈ ભાજપ કેમ થયુ સક્રિય?
દેશભરમાં પછાતોની રાજનીતિ ઉભરી રહી છે
તમામ રાજ્યોમાં પછાત વર્ગોમાં રાજનીતિમાં યોગ્ય ભાગીદારીની ઉઠી રહી છે માગ
SC,ST,OBCની જાતીઓની ઉપેક્ષાથી નારાજગી પસ ણ આવી છે સામે
SC,ST,OBC વિવિધ મુદ્દે કરી ચૂક્યા છે આંદોલન
પછાતોની નારાજગી ઠારવા ભાજપે સોશિયલ એન્જિનિયરિંગ શરૂ કર્યાનો દાવો
ગુજરાતમાં ઘણા લાંબા સમયથી શાસનની ધાક પડી-રૂપાલા
કારોબારી બેઠક સહકાર અંગે કેન્દ્રિયમંત્રી પુરુસોત્તમ રૂપાલાએ નિવેદન આપતા કહ્યું કે બેઠકમાં ભાજપના સરકારના શાસનમાં આવેલ પરિવર્તનની ચર્ચા કરવામાં આવી છે.1995માં ભાજપની સ્પષ્ટ બહુમતીથી સરકાર આવી અને કેશુભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર બની. તેમાંય કેશુભાઈની સરકારે લો એન્ડ ઓડરને સારી રીતે પ્રસ્થાપિત કર્યો. ગુજરાતમા ઘણા લાંબા સમયથી શાસનની ધાક પડી, મોદીજી CM હતા તે સમયે જ્યોતિગામ યોજના લાવ્યા જે થકી 24 કલાક વીજળી આપવાનો નિર્ણય થયો.રાજ્યમાં વીજળી અને ખેતી વિજળીના કનેક્સનનું વર્ગીકરણ થયું
108 એમ્બ્યુન્સ સેવા મોદી તત્કાલીન CM હતા ત્યારે શરૂ થઇ જેમાં 108 સૌથી વધુ ઉપયોગ પ્રસૂતિમાં થતો હોવાનું સામે આવ્યું છે. ખિલખીલાટ નવી પહેલ પણ ગુજરાત રાજ્યમાં શરૂ થઈ હતી.
રાજ્યમાં 108 અને મા કાર્ડ સેવા મોદીજી લાવ્યા-રૂપાલા
વધુમાં રૂપાલાએ કહ્યું કે આરોગ્ય શિક્ષણ અને પાણી જડમૂળથી ઉભું કરવાનો યશ ભાજપને જાય છે. ગુજરાતના વિકાસમાં ભાજપનો ફાળો સિંહ ફાળો રહ્યો છે. મા કાર્ડ અને 108માં મોદીજીએ રાજ્યમાં અમલમાં મૂકી, હવે આ યોજનાનો લાભ દેશને મળી રહ્યો છે. ભારત સરકારને કોવિડ મેનેજમટ માટેની સિદ્ધિઓ અંગે વિશ્વ આખું વખાણે છે. વેકસીન દેશમાં બની વિશ્વમાં મોકલવા અંગે શ્રેય ભારતને મળ્યો.યુક્રેન-રશિયા યુદ્ધમાં ઓપરેશન ગંગાનો શ્રેય વિશ્વમાં ભારતને મળ્યો. આમ ગુજરાત તેમજ કેન્દ્ર સરકારની સિદ્ધીઓ ગણાવી હતી.
15 દિવસના કાર્યક્રમોનું આયોજન
ગાંધીનગર કમલમ ખાતે એક દિવસીય પ્રદેશ કારોબારીની બેઠક મળી હતી. જેમાં સેવા અને સુશાસનના 8 વર્ષની ઉજવણી અને કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 30 મેના રોજ 8 વર્ષ પૂર્ણ થતાં 15 દિવસ સુધી ભાજપ દ્વારા કાર્યક્રમો ચાલશે. જેમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા 8 વર્ષ સિદ્ધિ પુસ્તકનું વિમોચન કરશે. સાથે 8 વર્ષના સેવા સુસાશન અને ગરીબ કલ્યાણની વાત થશે. સાથે જ કારોબારી બેઠકમાં ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, બેઠકમાં વિધાનસભા ચૂંટણી અંગે રણનીતિ ઘડવામાં આવી છે. સાથે 11, 12, 13 જૂન માટે વિસ્તારક યોજના ઘડવામાં આવી છે. જેથી 182 વિધાનસભામાં 6 મહિના માટે વિસ્તારકો જશે. ઉપરાંત 3 દિવસ માટે તાલુકા પંચાયતમાં જશે. અહીં વિસ્તારકો પેજ સમિતિના પ્રમુખો, બૂથ સમિતિ અને બૂથના લાભાર્થીનો સંપર્ક કરશે. આ કાર્યક્રમમાં જિલ્લા અને મંડળના મોરચાના કાર્યકરો પણ જોડાશે.