લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ મહેસાણા લોકસભા બેઠક મામલે હવે સેન્સ નહીં લે. મળતી માહિતી મુજબ કોંગ્રેસ દ્વારા મહેસાણા લોકસભા બેઠક માટે દોઢ-બે માસ અગાઉ ગુપ્ત રીતે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જેમાં 5 પાટીદાર નેતાઓ અને 3 ક્ષત્રિય ઉમેદવારોએ મુખ્ય દાવેદાર તરીકે દાવેદારી નોંધાવી છે. જેમાં એ.જે.પટેલ, જી.એમ.પટેલ, કિરીટ પટેલ (રણેલા) તથા કિરીટ પટેલ (ભાંડું) અને વિજય પટેલનો પાટીદાર દાવેદાર તરીકે સમાવેશ થાય છે. તો કીર્તિસિંહ ઝાલા, ભોપાજી ઠાકોર અને માનસિંહ ઠાકોરનો ક્ષત્રિય દાવેદાર તરીકે સમાવેશ થાય છે. જો કે..કુલ 23 દાવેદારોએ ટિકિટ માટે માંગણી કરી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
તો આ બાજુ વિધાનસભાની જામનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસ દ્વારા આજે સેન્સ લેવામાં આવી હતી. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર દાવેદારોનો ઘસારો જોવા મળ્યો હતો. ત્રણ કલાક ચાલેલ સેન્સ પ્રક્રિયામાં ૩૫ ઉમેદવારો ઉમટી પડ્યા હતા. એક તબ્બકે નિરીક્ષકો પણ વિસામણમાં મૂકી ગયા હતા.
જામનગર ગ્રામ્ય બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપ્યું છે. જેને લઈને ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સાથે જ આ બેઠકની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસ તરફથી મોકલવામાં આવેલ ત્રણ સભ્યોની ટીમ આજે બપોરે જામનગર આવી પહોચી હતી. જામનગર ખાતે એક પછી એક એમ ૩૫ દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. જેમાં જીલ્લા કોંગ્રેસ સંગઠન, જીલ્લા પંચાયત પ્રમુક, ઉપ પ્રમુખ સહિતનાઓએ રસ દાખવતા ખુદ નિરીક્ષકો વિસામાનમાં મૂકી ગયા હતા.