હજી તો ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દાદાગીરીનો વિવાદ શમ્યો નથી ત્યાં વધુ એક ભાજપના નેતાની દાદાગીરી સામે આવી છે. તક્તીઓમાં પોતાનું નામ ન લખાતા ભાજપના નેતાનો ગુસ્સો સાતમાં આસમને પહોંચી ગયો અને ભાજપના કાર્યકરોને રીતસરના ઉતારી પાડ્યા હતા.
જિલ્લા પ્રમુખ આર.સી.પટેલ દાદાગીરી કરતા હોવાનો પત્ર થયો ફરતો
તક્તીઓમાં નામ લખાવવા માટે પ્રમુખ દાદાગીરી કરી રહ્યા હોવાનો પત્રમાં દાવો
ભાજપના કાર્યકરોને પોતાનું નામ ન લખતા ખખડાવ્યાં
અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ આર.સી.પટેલ દાદાગીરી કરી રહ્યા હોવાનો એક પત્ર સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. જેમાં માત્ર તક્તીમાં પોતાનું નામ ન લખાતા આર.સી.પટેલ લાલ ગુમ થઇ ગયા અને પોતાના પક્ષના જ કાર્યકરોને ખખડાવી નાખ્યા હતા.
વાયરલ પત્રમાં લખવામાં આવ્યું છે કે, આર.સી. પેટેલે કહ્યું હતું કે મારૂ નામ કેમ નથી લખ્યું, આ બધાના નામ લખાઇ છે અને મારૂ નામ લખાતું નથી. તેમ કરીને દાદાગીરીથી તેમનું નામ લખાવડાવ્યું છે.
આર.સી. પટેલે ધમકીભર્યા શૂરે કહ્યું કે હજુ ત્રણ વર્ષ હું જ છું એટલે ચેતી જજો નહીં તો જેલ ભેગા થઇ જશો તેવી ધમકી આપતા હોવાનો પત્ર વાયરલ થયો છે. આ પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, જિલ્લાના સાચા અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ સાથે આવો વ્યવહાર કરે છે, જેથી સાહેબ પાર્ટીને નુકશાન થઇ રહ્યું છે.