બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ પર આપેલા નિવેદનથી ભાજપે ખુદને દુર રાખી, કહ્યું આ તેમનો વ્યક્તિગત મત

વિવાદ / નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ પર આપેલા નિવેદનથી ભાજપે ખુદને દુર રાખી, કહ્યું આ તેમનો વ્યક્તિગત મત

Last Updated: 06:33 AM, 20 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેપી નડ્ડાએ પોસ્ટમાં લખ્યું છે કે, "ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને દિનેશ શર્મા દ્વારા ન્યાયતંત્ર અને દેશના મુખ્ય ન્યાયાધીશ પર આપવામાં આવેલા નિવેદનો સાથે ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવાદેવા નથી.

ઝારખંડના ગોડ્ડાથી ભાજપના સાંસદ નિશિકાંત દુબે દ્વારા સુપ્રીમ કોર્ટ અને સીજેઆઈ અંગે આપવામાં આવેલા નિવેદનથી વિવાદ વકર્યો છે.. ભાજપે ખુદને નિશિકાંત દુબેના નિવેદનથી દુર રાખ્યું છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું કે અમે ન્યાયતંત્રનું સન્માન કરીએ છીએ. ભાજપ આવા નિવેદનોનું સમર્થન કરતું નથી. જેપી નડ્ડાએ પોસ્ટમાં લખ્યું છે કે, "ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને દિનેશ શર્મા દ્વારા ન્યાયતંત્ર અને દેશના મુખ્ય ન્યાયાધીશ પર આપવામાં આવેલા નિવેદનો સાથે ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવાદેવા નથી. આ તેમનું વ્યક્તિગત નિવેદન છે, ભાજપ ન તો આવા નિવેદનો સાથે સહમત છે અને ન તો તેણે ક્યારેય આવા નિવેદનોને સમર્થન આપ્યું છે. ભાજપ આ નિવેદનોને સંપૂર્ણપણે નકારી કાઢે છે."

નડ્ડાએ કહ્યું , "ભારતીય જનતા પાર્ટી હંમેશા ન્યાયતંત્રનો આદર કરે છે અને તેમના આદેશો અને સૂચનોનો ખુશીથી સ્વીકાર કરે છે કારણ કે એક પક્ષ તરીકે અમે માનીએ છીએ કે સુપ્રીમ કોર્ટ સહિત દેશની તમામ અદાલતો આપણા લોકશાહીનો અભિન્ન ભાગ છે અને બંધારણના રક્ષણનો મજબૂત સ્તંભ છે. મેં આવા નિવેદનો ન આપવા સૂચના આપી છે."

મહત્વનું છે કે , દુબેએ ન્યાયતંત્રની સત્તાની યોગ્યતા અને મર્યાદાઓ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું સુપ્રીમ કોર્ટ તેની મર્યાદાઓથી આગળ વધી રહી છે, તેમણે કહ્યું કે કોર્ટ સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાઓને રદ કરી રહી છે અને રાષ્ટ્રપતિને પણ સૂચનાઓ આપી રહી છે, જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. તેમણે સવાલ કર્યો કે "તમે નિમણૂક કરનારને કેવી રીતે સૂચના આપી શકો છો? સાથે જ કહ્યું કે બંધારણની કલમ 368 હેઠળ, કાયદા બનાવવાનું કામ સંસદનું છે અને કોર્ટની ભૂમિકા કાયદાનું અર્થઘટન કરવાની છે. તેમણે કહ્યું કે જો દરેક કામ માટે સુપ્રીમ કોર્ટ જવું પડે તો શું સંસદ બંધ કરી દેવી જોઈએ? ભાજપના સાંસદે વધુમાં કહ્યું કે જો દરેક વસ્તુ માટે કાયદા બનાવવામાં આવ્યા છે, તો સુપ્રીમ કોર્ટ ક્યાંથી અને કેવી રીતે નવો કાયદો બનાવી રહી છે.

તેમણે સવાલ કર્યો કે સંસદ આ દેશનો કાયદો બનાવે છે. શું તમે સંસદને સૂચના આપશો? તમે નવો કાયદો કેવી રીતે બનાવ્યો? કયા કાયદામાં લખ્યું છે કે રાષ્ટ્રપતિએ ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો પડશે? આનો અર્થ એ છે કે તમે આ દેશને અરાજકતા તરફ લઈ જવા માંગો છો. જ્યારે સંસદ બેસશે, ત્યારે આ અંગે વિગતવાર ચર્ચા થશે."

કાયદા દ્વારા "વક્ફના ઉપયોગ દ્વારા" જોગવાઈને નબળી પાડવા અંગે કોર્ટના ટીકાત્મક અવલોકનો પર પ્રશ્ન ઉઠાવતા, તેમણે કહ્યું કે તેણે અયોધ્યામાં રામ મંદિર સહિત મંદિરોને લગતા કેસોમાં દસ્તાવેજી પુરાવા માંગ્યા હતા, પરંતુ વર્તમાન કેસમાં સમાન જરૂરિયાતને અવગણવાનું પસંદ કર્યું. બંધારણની કલમ 368 ટાંકીને દુબેએ કહ્યું કે કાયદા બનાવવાનું કામ સંસદનું છે અને સુપ્રીમ કોર્ટનું કામ કાયદાઓનું અર્થઘટન કરવાનું છે. તેમણે કહ્યું કે કોર્ટ સરકારને આદેશ આપી શકે છે, પરંતુ સંસદને નહીં.

આ પણ વાંચોઃ

એરહોસ્ટેસ સાથે હોસ્પિટલમાં પુરૂષ નર્સે કર્યું ગંદુ કામ, કમર માપવાના બહાને કમર નીચે હાથ નાખ્યો પછી...

તેમની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે સુપ્રીમ કોર્ટ વકફ (સુધારા) કાયદાની બંધારણીયતાને પડકારતી અનેક અરજીઓની સુનાવણી કરી રહી છે. આ કાયદો આ મહિનાની શરૂઆતમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. કોર્ટે આ કાયદાની કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓ પર પ્રશ્નો ઉઠાવ્યા બાદ, કેન્દ્ર સરકારે આગામી સુનાવણી સુધી તેનો અમલ ન કરવા સંમતિ આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Controversial Statement Nishikant Dubey BJP Reaction
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ