રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ્દ થવા મુદ્દે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે, કોર્ટનાં આદેશ બાદ રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ્દ થયું છે. ત્યારે કોર્ટનાં ચૂકાદા પર કોંગ્રેસ દેશમાં ઉત્પાત મચાવી રહ્યું છે.
રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ્દ થવા મુદ્દે અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી
રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્ય પદ રદ્દ થવા મુદ્દે કોંગ્રેસ તેમજ ભાજપનાં નેતાઓ દ્વારા તેઓની પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. ત્યારે ભાજપનાં ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી. જેમાં તેઓએ નિવેદન આપ્યું હતું કે, કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધીનું સભ્યપદ રદ્દ થયુ છે. તેમજ રાહુલ ગાંધીને જે કલમ હેઠળ સજા થઈ એ કલમ ભાજપે બનાવી નથી . ત્યારે રાહુલ ગાંધીએ OBC સમાજની લાગણી દુભાવી હતી. રાહુલ ગાંધીએ પછાત વર્ગની લાગણી દુભાવી હતી. રાહુલ ગાંધીની ભાષાના કારણે અનેક જગ્યાએ કેસો થયેલા છે. અગાઉ પણ પીએમ મોદી માટે કોંગ્રેસના નેતાઓ અપશબ્દો કહીં ચૂક્યા છે. ન્યાયપાલિકા તથ્યોને આધારે ચુકાદો આપે છે. ત્યારે કોર્ટના ચુકાદા પર કોંગ્રેસ દેશમાં ઉતપાત મચાવી રહ્યું છે.
માફી માંગીને મુક્ત થવાનો મોકો રાહુલ ગાંધી પાસે હતોઃગોરધન ઝડફિયા
કોંગ્રેસના લોકો કોર્ટના ચુકાદા સામે બોલી રહ્યાં છે. ત્યારે ૩ વખત કોર્ટમાં મુદ્દતો પળી અને દલીલો થઈ હતી. કોંગ્રેસ પાસે પણ મોટા અને સુપ્રીમકોર્ટના વકીલો છે. કોંગ્રેસ ઈચ્છે છે કે ગાંધી પરિવાર માટે અલગથી IPC બને. કોંગ્રેસ તરફી ચુકાદો આવે તો ન્યાયપાલિકા સારી છે. જે નિવેદન આપ્યુ એ વીડિયો પણ છે. પરંતુ રાહુલ ગાંધીએ માફી ન માગી. ત્યારે માફી માંગીને મુક્ત થવાનો મોકો રાહુલ ગાંધી પાસે હતો. રાહુલ ક્રાંતિવીર હોયએ રીતે કોંગ્રેસ વર્તી રહીં છે. રાહુલ કહે છે મને બોલવા નથી દેતા પરંતુ 90 મિનિટ તેઓ સંસદમાં બોલ્યા છે. રાહુલે પછાત સમાજની લાગણીને ઠેસ પહોંચાડી છે. આ નિર્ણય કાયદાકીય રીતે થયો છે, કોઈ રાજકીય વાત નથી. આજે જ કોઈ સંસદની સદસ્યતા રદ્દ નથી થઈ, અગાઉ પણ થઈ ચૂકી છે.
બંધારણીય સ્થતિ રાખીને કાયદાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છેઃજીતુ વાઘાણી
રાહુલ ગાંધી સજા મુદે ભાજપનાં ધારાસભ્ય જીતુ વાઘણીએ નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ કહ્યું છે કે, ભારત વર્ષમાં જોગવાઈ છે,તેમાં કોઈ બાકાત નથી. પાર્લામેન્ટ હોય કે વિધાનસભામાં હોય તેમ કાયદાને માન અપાવાની સૌની ફરજ હોય છે. બંધારણીય સ્થતિ રાખીને કાયદાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. લોકશાહીમાં બધા પોતાના અધિકારો માટે પોતાની રજુઆત કરી શકાય. કોંગ્રેસના આગેવાનને પૂછવા માગું કે નામદાર કોર્ટ ઉપરવટ છે. કોર્ટમાં તમામ પ્રકારની રજુઆત બાદ કોર્ટે નિણર્ય કર્યો છે. કોર્ટે હુકમ આપ્યા છે,કોંગ્રેસ શુ કોર્ટથી ઉપર છે. OBC મુદે ભાજપનાંધારાસભ્ય જીતુ વાઘણીનું નિવેદન. Obc સૌ નાગરિકો જણાવા માંગુ છું. ઉતરોતર બજેટ ફાળવણીમાં સતત વધારો અમારી સરકારે કર્યુ છે..ફક્ત બજેટ જોગવાઈ નહિ,ગરીબ મેળા સહિતની યોજના થકી અબજો રૂપિયા આપ્યા છે. સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટમાં ગયો છે. દેશમાં લોકશાહી ખતમ કરીને સર મુખ્યાતર સહી થઈ રહી છેઃઅમિત ચાવડા
રાહુલ ગાંધીની સજા બાબતે કોંગ્રેસનાં નેતા અમિત ચાવડાએ તેઓની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, દેશમાં લોકશાહી ખતમ કરીને સર મુખ્યાતર સહી થઈ રહી છે.દેશની એરપોર્ટ અંર પોર્ટને ખેરાત તરીકે લૂંટાવી શકે ખેતી ખતમ થાય તે પ્રકારના અનૈતિક નિર્ણય થાય છે. અન્યાય સામે અત્યાચારની વાત કરી તેમને ડરાવવાનો પ્રયત્ન કર્યો, ઇડીના નામે ડરાવવામાં આવેદેશમાં કોઈ પણ વ્યક્તિ અવાજ ઉઠાવે તેને દવાબી દયો ચોક્કસ માનું છું કે ક્યારેય જેલની ચિતા કરી નથી આ પરિવાર એવો છેકે જેને પોતાની જાન આપી દીધી.ગમે તેટલો પ્રયત્ન કરો પણ અમે લડીશું.ગમે તેટલો પ્રયત્ન કરો પણ અમે લડીશું. સત્યને પરેશાન કરી શકાય પરંતુ હરાવી શકાતું નથી. સંસદમાં જેપીસીની તપાસ માંગવામાં આવેલોકસભાની ચૂંટણી થવાની ત્યારે સવિધાનીક ખતમ કરી રહી છે પ્રજા જોઈ રહી છે, પરંતુ 2024માં પ્રજા જવાબ આપશે ગુજરાતમાં અનેક દાખલ છે, જ્યાં ગુનેગાર દોષિત હોવાના છતાં સભ્ય પદ રદ કરવામાં આવ્યું નથી.
નીરવ મોદી અને લલિત મોદી ચોર કહ્યા તેમાં તેઓ કોર્ટમાં ગયાઃ અર્જુન મોઢવાડિયા
રાહુલ ગાંધીની સજા મુદ્દે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ તેઓની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, નીરવ મોદી અને લલિત મોદી ચોર કહ્યા તેમાં કોર્ટમાં ગયા. આજે ત્યાં ખૂબ આરામની જિંદગી ગુજારે છે. આજે ત્યાં ખૂબ આરામની જિંદગી ગુજારે છે. ચોર સલામત છે. પરંતુ ચોર સામે આવાજ ઉઠાવનાર અસલામત છે. 24 કલાકમાં સભ્ય પદ રદ થાય છે. જનતાના ચુકાદા બાદ લોકસભાનું સભ્ય પદ મળે છે. એની રાહ જોયા વિના સભ્ય પદ રદ થયું છે. અગાઉ પણ આનળમાં નિકો બાદ સભ્ય રદ કરવામાં આવ્યું હતું જનતા વચ્ચે જઈને ઉઠાવીશું.