નવી દિલ્હીઃ હૈદરાબાદમાં મક્કા મસ્જિદના બોમ્બ બ્લાસ્ટમાં પાંચેય આરોપીઓને કોર્ટે મુક્ત કર્યા છે. ત્યાર બાદ ભગવા આતંકવાદ નામના શબ્દના ઉપયોગને પગલે રાજકીય અટકળો સામે આવી છે.
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભગવા આતંકવાદ શબ્દના ઉપયોગને લઈ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસે ભગવા આતંકવાદ શબ્દનો પ્રયોગ કરીને હિંદુ ધર્મને બદનામ કર્યો છે. સાથે સાથે ભાજપે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આ મુદ્દે માફી માગે એવી માગ કરી છે.
ભગવા આતંકવાદ શબ્દનો પ્રયોગ સૌ પહેલાં ચિદમ્બરે કર્યો હતો. તમામ વરિષ્ઠ નેતાઓ આ મામલે ચૂપ છે. જેથી રાહુલે આ મામલે માફી માગવી જોઈએ.