દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. તમામ ઉમેદવારનોનું ભાવિ EVMમાં કેદ થયું છે. હવે 11 ફેબ્રુઆરીએ તમામ ઉમેવાદવારોના ભાવિનો ફેંસલો થશે. એ પણ નક્કી થઈ જશે કે દિલ્હીમાં કઈ પાર્ટી રાજ કરશે.
ભાજપ નેતા મનોજ તિવારીની VTV સાથે ખાસ વાતચીત
તમામ એગ્ઝિટ પોલ ખોટા સાબિત થશેઃ મનોજ તિવારી
ભાજપ 48 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મેળવશેઃ મનોજ
ચૂંટણીના પરિણામ પહેલા પહેલાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે એગ્ઝિટ પોલ સામે આવ્યા છે. જેમાં હાલ તો અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. ત્યારે આ અંગે VTV સાથે દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ ખાસ વાતચીત કરી હતી.
દિલ્હી વિધાનસભા ચૂંટણી મતદાન પૂર્ણ થતા ભાજપ નેતા મનોજ તિવારીએ કહ્યું કે, તમામ એગ્ઝિટ પોલ ખોટા સાબિત થશે. ભાજપ 48 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મેળવશે. પરિણામ બાદ કોઇ EVMને દોષ ન આપે. હું ગ્રાઉન્ડની રિયાલીટી જાણુ છું. હું દિલ્હીની જનતાને સારી રીતે જાણું છું. તિવારીએ કહ્યું કે, દિલ્હીમાં ભાજપ 48 પ્લસ બેઠકો સાથે સરકાર બનાવશે. 48+, 55, 56 કે 60 સુધી પહોંચી જાય તો EVMને દોષ ન આપતા.