મહારાષ્ટ્રમાં વિધાનપરિષદની 9 બેઠકો માટે 21 મેના રોજ ચુંટણી થવા જઈ રહી છે. આ માટે ભાજપે પોતાના 4 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. શિવ સેનાના ઉદ્ધવ ઠાકરેને પોતાનું CM પદ ટકાવી રાખવા માટે આ ચુંટણી જીતવી ફરજીયાત છે.
ઉદ્ધવ ઠાકરેએ CM પદને ટકાવી માટે આ ચુંટણી જીતવી ફરજીયાત
ભાજપે પક્ષથી નારાજ દિગ્ગજ નેતાઓને મનાવવાની કવાયત હાથ ધરી છે
મહારાષ્ટ્રની 9માંથી 4 બેઠકો માટે ભાજપે પ્રવીણ દદકે, ગોપીચંદ પડલકર, અજિત ગોપછેડે, રણજીતસિંહ પાટીલ જેવા નેતાઓને મેદાનમાં ઉતર્યા છે. એવું માનવામાં આવે છે કે ભાજપે પક્ષથી નારાજ દિગ્ગજ નેતાઓને મનાવવાની કવાયત હાથ ધરી છે. ૨૦૧૯માં ભાજપે વિધાનસભાના ઈલેકશનમાં ઘણા નેતાઓને ટિકિટ આપી નહોતી અને એમાંથી ઘણી બેઠકો તેમણે ગુમાવી હતી. આમ થતા ઘણા નેતાઓએ પાર્ટી સામે બંડ પોકાર્યો હતો.
શિવસેના તરફથી એક સીટ ઉપર ઉદ્ધવ ઠાકરે અને બીજી સીટ ઉપર નીલમ ગોહરે મેદાનમાં હશે. ઉદ્ધવની બેઠક ઉપરનો ખતરો પણ હવે ટળી ગયો છે. આ ચુંટણી જીતવી તેમના માટે એટલે ફરજીયાત હતી કેમ કે CM પદને ટકાવી માટે તેમણે કોઈ એક ગૃહના સભ્ય હોવું ફરજીયાત છે જે માટે તેમને બંધારણીય રીતે 6 મહિનાનો સમય આપવામાં આવે છે. આ સમય 28 મેના રોજ પૂરો થાય છે પણ સદનસીબે હવે 21 મેની ચુંટણી જીતીને તેઓ આ શરતનું પાલન કરી શકશે.
મહારાષ્ટ્રની સ્થિતિ
મહારાષ્ટ્રમાં 288 વિધાનસભાની બેઠકોમાંથી મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં 170 MLA છે જેમાં 56 MLA શિવસેના, 54 MLA NCP, 44 MLA કોંગ્રેસના અને અન્ય 16 MLA એમની સાથે છે. બીજી તરફ વિપક્ષમાં ભાજપના 115 MLA, 2 AIMIMના અને 1 મનસેના MLA છે.