ભાજપ રાજ્યભરમાં સન્માન સમારોહ, જાહેર કાર્યક્રમોનું આયોજન કરશે નહીં. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે હોદ્દેદારોને આ અંગે સૂચન કર્યા છે.
પ્રદેશ ભાજપનો મોટો નિર્ણય
ભાજપ જાહેર કાર્યક્રમો યોજશે નહીં
સી.આર પાટીલે હોદ્દેદારોને કર્યા સૂચન
રાજ્યમાં કોરોના ફરી વકરતા પ્રદેશ ભાજપે મોટો નિર્ણય કર્યો છે. ભાજપ રાજ્યભરમાં સન્માન સમારોહ, જાહેર કાર્યક્રમોનું આયોજન કરશે નહીં. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે હોદ્દેદારોને આ અંગે સુચન કર્યા છે. જિલ્લા અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ પ્રદેશ નેતાઓને સૂચન કર્યા છે. તેમણે કાર્યકર્તાઓને કોરોનાની ગાઈડલાઈન અનુસરવા અપીલ કરી છે. આ સાથે વધુમાં કોરોનાના રસીકરણના સેવાકાર્યમાં જોડાવા પણ કાર્યકર્તાઓને હાંકલ કરી છે.
જનતાનો સવાલ અને આક્ષેપ
રાજ્યમાં કોરોનાનો કહેર છે ત્યારે વધુ એક મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ છે. ફરી એકવાર નેતાઓ કોરોનાને આમંત્રણ આપતા નજરે પડશે. ત્યારે ચૂંટણી પંચની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. 6 મનપાની ચૂંટણીની પૂર્ણાહુતીને હજુ એક મહિનાનો સમય થયો નથી. જેને લઈ એવા સવાલ ઉઠી રહ્યા છે કે, ગાંધીનગરની ચૂંટણી પણ 6 મહાનગરપાલિકાની ચૂંટણી સાથે કેમ ન કરવામાં આવી.
એક તરફ રાજ્યના 4 મહાનગરોમાં આંશિક લોકડાઉનની સ્થિતિ છે. ગાંધીનગરમાં ચૂંટણીનું બ્યૂગલ વાગી ગયું છે.ત્યારે આ મામલે સામાન્ય પ્રજા રોષ વ્યકત કરી રહી છે કે એક તરફ કામ ધંધા બંધ કરાવી રહ્યા છો અને બીજી તરફ જનમેદનીને ભેગી કરીને કોરોનાને આમંત્રણ આપવાનું કામ કરી રહ્યા છે. નેતાઓ ચૂંટણી કરે અને બાદમાં ભોગવવાનો વારો સામાન્ય પ્રજાને આવે છે તેવા આક્ષેપો કરાઈ રહ્યા છે.