લોકસભામાં જવા માટે હવે બન્ને નેતાઓએ રાજ્યસભામાંથી રાજીનામું આપવું પડશે. ત્યારબાદ રાજ્યસભાની આ બેઠકો પર ફરીથી ચૂંટણી થશે. ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક જીતવા માટે 59 ધારાસભ્યોના મત જરૂરી છે.
હાલમાં ભાજપની પાસે 103 અને કોંગ્રેસ પાસે 72 ધારાસભ્યો છે. જો અલ્પેશ ઠાકોર પોતાના દાવા અનુસાર 10 ધારાસભ્યોને લઇને જાય છે તો પણ કોંગ્રેસની પાસે 62 ધારાસભ્યો રહે છે. જ્યારે ભાજપના 4 ધારાસભ્ય લોકસભા ચૂંટણી જીતી ચુક્યા છે, એટલા માટે ભાજપના ધારાસભ્યોની સંખ્યા 99 થઇ ગઇ છે. આ પ્રકારે કોઇ પણ સંજોગોમાં રાજ્યસભાની એક બેઠક કોંગ્રેસના ખાતામાં જાય તેવા સંજોગો છે. આ સમયમાં એ જોવાલાયક હશે કે ભાજપ પોતાની બન્ને રાજ્યસભા બેઠક યથાવત રાખવા માટે શું દાવ અજમાવે છે.
ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચા
લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ ગુજરાત સરકારમાં ફેરફાર થવાની શક્યતા છે. ચર્ચા છે કે યુવા નેતા અલ્પેશ ઠાકોર ભાજપની સરકારમાં સામેલ થઇ શકે છે. ત્યારે રૂપાણી સરકારના મંત્રી પરબત પટેલ આ વખતે બનાસકાંઠાથી લોકસભા ચૂંટણી જીત્યા છે. તેમના રાજીનામા બાદ ખાલી થયેલ પદને ભરવા માટે મંત્રીમંડળમાં ફેરબદલ જરૂરી થઇ ગયું છે.
મહત્વનું છે કે અલ્પેશ ઠાકોરે લોકસભા ચૂંટણીમાં ભાજપની મદદ કરી છે. વિજય રૂપાણી સરકાર તેનું ઇનામ અલ્પેશ ઠાકોરને આપવા જઇ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે પાટણ જિલ્લાના રાધનપુરથી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ભાજપ રૂપાણી સરકારના કેબિનેટમાં સામેલ કરી શકે છે.
મળતી માહિતી અનુસાર રૂપાણી સરકાર કેટલાક મંત્રીઓના વિભાગ પણ બદલી શકે છે. જે મંત્રીઓના પોર્ટફોલિયો બદલાવાની સંભાવના છે. જેમાં ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા, શિક્ષા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ઉદ્યોગમંત્રી સૌરભ પટેલ સામેલ છે. ત્યારે ગુજરાતમાં પેટાચૂંટણી બાદ ભાજપની તાકાતમાં વધારો થયો છે.
2017ની ચૂંટણીમાં ભાજપ જ્યાં 99 બેઠક પર સમેટાઇ ગઇ હતી, ત્યારે લોકસભા ચૂંટણીની સાથે પેટાચૂંટણીમાં 4 નેતાઓને મળેલી જીત બાદ વિધાનસભામાં ભાજપની સંખ્યા 103 થઇ ગઇ છે. આ ચારેય ધારાસભ્યો ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ ગયા હતા. જેમાં આશા પટેલ, જવાહર ચાવડા, પરસોત્તમ સાબરિયા અને રાઘવજી પટેલ ભાજપમાંથી લઇને ચૂંટાઇ આવ્યા છે.