ગુનેગાર ચૂંટણી ન લડી શકે તે માટે યુનિવર્સિટીમાં સ્ટેચ્યુટ 187નો નિયમ છે
સ્ટેચ્યુટ 187ના નિયમ મુજબ યુનિવર્સિટીમાં કોઈ ગુનેગાર ચૂંટણી ન લડી શકે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રવિવારે યોજાયેલી સેનેટમાં આમ આદમી પાર્ટી દ્વારા ઈન્ચાર્જ કુલપતિ અને રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી હતી
જેમાં આમ આદમી પાર્ટીના સભ્યોએ જણાવ્યું હતું કે, અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગુનેગારોથી મુક્ત કરવા માંગ્યે છે.ઉલ્લેખનીય છે કે, રવિવારે યુનિવર્સિટીમાં યોજાયેલી સેનેટ દરમિયાન ભાજપ-કોંગ્રેસ દ્વારા સ્ટેચ્યુટ 187ને લઈને ખાસ સેનેટ સભા બોલાવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આમ આદમી દ્વારા આ નિયમનો અમલ થાય તે માટે પ્રયાક કરી રહી છે.
આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલ અને ઈન્ચાર્જ કુલપતિ સમક્ષ રજૂઆત કરી
મહત્વનું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માં સ્ટેચ્યુટ 187 અમલ સાથે યુનિવર્સીટીને ગુનેગાર મુક્ત બનાવવા AAP દ્વારા ઇન્ચાર્જ કુલપતી રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી છે.તેઓ જણાવ્યું હતું કે, ગુનેગાર ચૂંટણી લડી ન શકે તેમના બંધારણીય અમલ મુજબ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિમાં સ્ટેચ્યુટ 187ના અમલ ન થાય માટે ભાજપ-કોંગ્રેસ એક થઈ ગયું છે. જયારે AAP એ આ નિયમનો અમલ કરવા માંગ કરી છે