રાજકોટઃ જિલ્લા પંચાયતમાં આજે ભાજપ અને કોંગ્રેસના પારખા થશે. કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત કબજે કરવા માટે ભાજપ દ્વારા હાલ મથામણ ચાલી રહી છે. જેથી આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળશે. તો ભાજપે પોતાની પાસે 27 સભ્યો હોવાનો દાવો કર્યો છે અને કોંગ્રેસે 15 સભ્યો હોવાનો દાવો કર્યો છે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં ડેમેજ કંટ્રોલ કરવામાં કોંગ્રેસ સફળ હોવાનો દાવો કર્યો છે. આ અંગે વાત કરતા કોંગ્રેસના નેતા અર્જુન ખાટરીયાએ જણાવ્યુ કે સામાન્ય સભાના એજન્ડામાં અવિશ્વાસ દરખાસ્તનો સમાવેશ નથી. આજની સામાન્ય સભામાં અલગ અલગ છ કમિટીની રચના થશે. ઉપરાંત અજ્ઞાતવાસમાં ગયેલા 10થી વધુ સભ્યોનો કમિટીમાં પણ સમાવેશ થશે. બસ મારફતે તમામ સભ્યો ગોંડલથી રાજકોટ જવા માટે રવાના થયા હતા.
જેથી કોંગ્રેસના નારાજ ધારાસભ્યો ભાજપ પાસેથી જિલ્લા પંચાયત છીનવી શકે છે. તો ભરત બોઘરાના જણાવ્યો મુજબ તેઓ 21 સભ્યો સાથે સામાન્ય સભાગૃહમાં પહોંચશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત કબજે કરવા માટે ભાજપ મથામણ કરી રહ્યું છે. તો ભાજપે દાવો કર્યો છે કે તેમની પાસે 27 સભ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે 15 સભ્યો હોવાનો દાવો કર્યો છે. ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસના પારખા થઈ જશે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં નવા જૂનીના એંધાણ સર્જાવા જઈ રહ્યા હોય તેવું લાગે છે. કુલ 36માંથી માત્ર 2 જ સભ્યોનું સંખ્યાબળ ધરાવતું રાજકોટ જિલ્લા પંચાયતમાં રાજકીય ભૂકંપ સર્જવા સજ્જ થયું છે. આજની સામાન્યસભામાં સમિતિઓની રચનામાં કોંગ્રેસ પાસેથી શાસન પડાવી લે તેવી તૈયારીઓ શરૂ થઈ છે. જિલ્લા પંચાયતના સભ્યોને રાજસ્થાન લઈ જવાતા કોંગ્રેસનું શાસન ડગમગી ગયું છે.
અત્યાર સુધી ભાજપ સામે ઝાક ઝીલનાર વર્તમાન બોડી અને તેના સુકાની અર્જૂનભાઈ ખાટરીયા માટે સામાન્ય સભામાં સત્તાઓ જાળવવી અઘરી પડે તેમ છે. બીજી તરફ સભ્યો ભૂગર્ભમાં જવાના મામલે અનેક ચર્ચાઓ થઇ રહી છે. નારાજ સભ્યો ભાજપમાં જોડાઈ તેવી શક્યતાઓ છે. આ સામાન્ય સભામાં પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્તની શકયતા છે.