કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામા બાદ સરકાર પડી જાય તેવો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા રણદિપ સુરજેવાલાએ ભાજપ પર ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવ્યો છે.
સુરજેવાલાએ કહ્યું કે, દેશમાં ખરીદ વેચાણની રાજનીતિનું નવું પ્રતિક સામે આવ્યું છે. પીએમ મોદીનો જાણી જોઈને કરેલા આ દુષ્પ્રચાર છે. કર્ણાટકમાં ભાજપ સરકાર તોડી પાડવાના પ્રયાસો કરી રહી છે. પણ કર્ણાટકમાં સરકાર સુરક્ષિત છે.
ભાજપ અમારા ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. તો જેડીએસના નેતા એચ વિશ્વનાથે દાવો કર્યો છે કે, જેડીએસ કોંગ્રેસ ગઠબંધનના 12 ધારાસભ્યોએ રાજીનામુ આપ્યુ્ છે. જ્યારે 2 ધારાસભ્યો આજે રાજીનામુ આપશે.