ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. ત્યારે હવે કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટને લઇને કોંગ્રેસે દાવો કર્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસની નિવેદનબાજી
ચૂંટણીમાં જૂના અને નવા ઉમેદવારોના કોમ્બિનેશન સાથે ટિકિટો આપીશુંઃ ભરતસિંહ
કોંગ્રેસ લોકોની પસંદગીના ઉમેદવારો જાહેર કરશેઃ ધાનાણી
કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસમાં નવા ચહેરાઓને સ્થાન આપીશું. તો ભાજપે કહ્યું કોંગ્રેસમાં કોઈ ટિકિટ નહીં માંગે. હવે 182 બેઠકો ભાજપમાં જીતી શકે તેવું તંત્રીઓને લાગે છે.
કોર્પોરેશનની ચૂંટણીમાં જૂના અને નવા ઉમેદવારોના કોમ્બિનેશન સાથે ટિકિટો આપીશુંઃ ભરતસિંહ
ઓછા ટેક્સે નાગરિકોને વધારે સુવિધા આપી શકાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, કોર્પોરેશનની ચૂંટણીમાં જૂના અને નવા ઉમેદવારોના કોમ્બિનેશન સાથે ટિકિટો આપવામાં આવશે. યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવશે. 30% નવા ચહેરાઓને સ્થાન અપાશે. 2 દાયકાથી વધુ સમય સત્તામાં રહેલી પાર્ટી સુરતને સિંગાપોર બનાવવાની વાતો કરી રહી છે, પરંતુ કોઇ વિકાસ કર્યો નથી. તો આગામી ચૂંટણી મુદ્દે પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસ 50% નવા ચહેરાઓને ટિકિટ આપશે. કોંગ્રેસ લોકોની પસંદગીના ઉમેદવારો જાહેર કરશે.
Jansampark in Bapunagar and India colony ward of Ahmedabad municipal corporation pic.twitter.com/ic2F9T12ip
કોંગ્રેસી સાથે બહારના લોકોને પણ ટિકિટ અપાશે: અમિત ચાવડા
થોડા દિવસ અગાઉ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું સુરતમાં મહત્વનું નિવદન કર્યુ હતું અને તેમણે જણાવ્યુ હતું કે માત્ર કોંગ્રેસી કાર્યકરો જ નહીં, બહારના લોકોને પણ ટીકીટ આપવામાં આવશે. તેમજ કોંગ્રેસ યુવકો અને મહિલાઓને ટિકિટ ફાળવણીમાં પ્રમુખ્તા આપશે. તેમજ તેમણે પડી રહેલી જમીન અંગે અમિત ચાવડાએ ભાજપ પર આક્ષેપ કર્યા હતાં. તેમજ જણાવ્યુ હતું કે ભાજપ પોતાના મળતીયાઓને જમીન ફાળવી દેશે. ઉદ્યોગપતિઓને જમીન ફાળવી દેવા માટે આ જાહેરાત છે. જેમાં સામાન્ય માણસને કોઈ લાભ થાય તેવી જાહેરાત નથી.
માનવ મહેરામણ જોઈને કોંગ્રેસમાં કોઈ ટિકિટ નહીં માંગેઃ પાટીલ
સુરતના મજૂરા વિસ્તારમાં ભાજપના પ્રદેશ પ્રમુખ C.R.પાટીલની સભા યોજાઇ હતી. પાટીલે કહ્યું કે, માનવ મહેરામણ જોઈને કોંગ્રેસમાં કોઈ ટિકિટ નહીં માંગે. ભાજપ શહેર પ્રમુખ પાસે વોર્ડમાંથી 100-100 લોકો ટીકીટ માંગશે. ટિકિટ માંગવાનો સૌને અધિકાર છે. આ વખતે ગુજરાતમાં ખૂબ સારું વાતાવરણ છે. હવે 182 બેઠકો ભાજપમાં જીતી શકે તેવું તંત્રીઓને લાગે છે.