23 એપ્રિલે રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષના નેતાઓ એડિ ચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણીને લઈને કોંગ્રેસ -ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાત લેશે.
અમદાવાદ: 23 એપ્રિલે રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષના નેતાઓ એડિ ચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણીને લઈને કોંગ્રેસ -ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાત લેશે.
ચૂંટણી પહેલા પીએમ મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રક્ષામંત્રી નિર્મલા સીતારમણ સહિતના નેતાઓ ગુજરાતની મુલાકાત લેશે. પીએમ મોદી સૌરાષ્ટ્રના મતદારોને રિઝવવા માટે જનસભા કરશે અને અમિત શાહ વેજલપુર અને સાબરમતીમાં રેલી કરશે.
તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ પણ ગુજરાતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ સોમનાથ મહાદેવ અને અંબાજી મંદિરની મુલાકાત લશે. આ દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતમાં 5 જેટલી સભા સંબોધશે. જ્યારે પ્રિયંકા ગાંધી આદિવાસી વિસ્તારમાં પ્રચાર કરશે.
PM મોદીની ગુજરાતમાં 10 જાહેરસભા
લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં 10 સભાઓ ગજવશે. ગુજરાતમાં 10 એપ્રિલથી પ્રધાનમંત્રી મોદીનું પ્રચાર અભિયાન શરૂ થશે. જેમાં તેઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 3-3 સભાઓને સંબોધશે.
તો મધ્ય ગુજરાતમાં બે સભા અને આદિવાસી વિસ્તારમાં એક સભા સંબોધશે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર અને અમરેલીમાં તેઓ સભાઓ સંબોધી શકે છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં પણ સભાને સંબોધશે. મધ્ય ગુજરાતમાં આણંદમાં તેઓ સભાને સંબોધિત કરશે. આદિવાસી વિસ્તાર દાહોદ અથવા છોટાઉદેપુરમાં પણ સભાને સંબોધન કરશે અને દક્ષિણ ગુજરાતમાં એક સભા સંબોધિત કરશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની 26 બેઠકો જીતવાના નિર્ધાર સાથે ભાજપ કામે લાગ્યું હોવાથી પોતાના પક્ષના સ્ટાર પ્રચારક અને તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુલ 10 સભા ગુજરાતમાં ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોના મત મેળવવા માટે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર અને અમરેલીમાં સભાઓ ગોઠવવામાં આવી હોવાના પણ અહેવાલો પ્રાપ્ત થયાં છે.
આપને જણાવી દઇએ કે, વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગત લોકસભાની ચૂંટણીમાં ગુજરાત સહિત દેશના ખૂણે-ખૂણે પ્રચાર કરીને ભાજપને જીતાડવામાં સિંહફાળો આપ્યો છે. ત્યારે આ વખતે પણ જોવું જ રહ્યું કે PM મોદીનો જાદૂ કેટલા અંશે મતદાતાઓને રીઝવી શકે છે.