ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર દ્વારા 9 દિવસના સેવા સેતુ કાર્યક્રમ બાદ 15મી ઓગસ્ટથી જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોસની અધ્યક્ષતામાં જન આશીર્વાદ યાત્રા અમદાવાદથી આણંદ પહોંચી હતી. જ્યાં સમારખા ચોકડી ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ સરદાર પટેલના વતન કરમસદથી કરવામાં આવ્યો હતો. મંત્રી દર્શનાબેને સરદાર પટેલના ઘરની મુલાકાત લઈ યાત્રાનો પ્રારંભ કર્યો હતો.
આ યાત્રા કરમસદ, વિદ્યાનગર થઈ આણંદ ટાઉન હોલ પહોંચી હતી જ્યાં મંત્રી દર્શનાબેને સભા સંભોધી હતી. તેમજ વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમજ સરકારની વિવિધ યોજનાઓથી લોકોને અવગત કરવામાં આવ્યાં હતાં. આ યાત્રાની પુર્ણાહુતી વાસદ ખાતે થઈ હતી. વાસદથી આ યાત્રા વડોદરા જિલ્લામાં પ્રવેશી હતી.
કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઈ હવે યોજાશે બેઠક
ગુજરાત કોંગ્રેસની 16 ઓગસ્ટે મહત્વની બેઠક મળશે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં બેઠક મળશે. જેમાં કોંગી ધારાસભ્યો, સિનિયર આગેવાન, હોદ્દેદાર સાથે ચર્ચા કરાશે. રાજ્ય સરકારને ઘેરવા આક્રમક કાર્યક્રમની રણનીતિ પર થશે મંથન. પ્રજાના પ્રશ્નોને લઈ આક્રમક આંદોલાત્મક કાર્યક્રમનું આયોજન કરાશે. વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવાનું આયોજન હવે થશે તેવી માહિતી સામે આવી છે. આ પ્રમાણે ભાજપના નેતાઓ પ્રચાર કરવા માટે પહોંચી ગયા છે. ત્યારે કોંગ્રેસ એક કદમ પાછળ હોય તેવું જોવા મળી રહ્યું છે.
5 મંત્રીઓને સોંપાઈ ખાસ જવાબદારી
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીઓ ફરી વતન પહોંચ્યા છે.15 ઓગસ્ટથી કેન્દ્રીયમંત્રીઓ ગુજરાતમાં રહેશે. ગુજરાતમાંથી પાંચેય કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મંત્રીઓને જિલ્લાઓ પ્રમાણે જવાબદારી રહેશે. આ હેઠળ મંત્રીઓ ગુજરાતનો પ્રવાસ કરી લોકસંવાદ કરશે. 16થી 21 ઓગસ્ટ સુધી મંત્રીઓ ગુજરાતનો પ્રવાસ કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની કવાયત હાથ ધરી છે ભાજપ દ્વારા ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી છે રત્નાકર અગાઉ બિહાર ભાજપના સહસંગઠન મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે તેમજ કાશી અને ગોરખપુરમાં ક્ષેત્રીય સંગઠનની પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે.
રત્નાકર શરૂઆતના દિવસોમાં સામાજિક કાર્યકર તરીકે સંઘ સાથે જોડાયેલા હોવાનું મનાય છે તેમજ રત્નાકર એક ભારતીય રાજકીય અને ભાજપના અગ્રણી વ્યૂહાત્મક નેતા તરીકે છાપ પણ ધરાવે છે. જેથી તેમને સંગઠનના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાજપના નવા નિયુક્ત પામેલા સંગઠન મંત્રી ગુજરાત મંગળવારે ગુજરાત આવી શકે છે તેઓ ચાર્જ સંભાળ્યા બાદ તેઓ મોવડીમંડળ સાથે બેઠક યોજશે તેવું પણ મનાઈ રહ્યું છે.
ભીખુ દલસાણીયાને મળી શકે મહત્વની જવાદબાદીરી
છેલ્લા દસ વર્ષથી ગુજરાતસંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા ભીખુ દલસાણીયાને ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે તેવું મનાઈ રહ્યું છે ભીખુ દલસાણિયા વડાપ્રધાન મોદીના વિશ્વાસુઓમાં એક ગણાય છે.