કર્ણાટકના રાજકારણમાં ફરી એકવાર રાજકીય ગરમાવો આવ્યો છે. ભાજપ-કોંગ્રેસમાં સામ-સામે એકબિજાના ધારાસભ્યો તોડવાના આક્ષેપો થઈ રહ્યા છે. તેવામાં ભાજપે પોતાના 102 ધારાસભ્યોને ગુરુગ્રામની ITC ગ્રાન્ડ હોટેલમાં ખસેડ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
તો બીજી તરફ JDS-કોંગ્રેસની સરકારમાં પણ મતભેદની ચર્ચાએ જોર પક઼ડ્યું છે. JDS અને કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે તો પોતાના ધારાસભ્યોને ભાજપ કરોડોની લાલાચ આપી ખરીદવાની કોશિશ કરી રહ્યાના પણ આક્ષેપ લગાવ્યા છે. તો ત્રણ ધારાસભ્યો હાલ ભાજપના નેતાઓની સાથે મુંબઈની એક હોટેલમાં હોવાના પણ આક્ષેપ લગાવ્યા છે.
આગામી સપ્તાહમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો પ્રયાસ
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભાજપના સંપર્કમાં કોંગ્રેસના 10 અને જેડીએસના 3 ધારાસભ્ય છે. ભાજપના પ્રયાસ છે કે ટૂંક સમયમાં જ કેટલા ધારાસભ્યોએ આ 13 ધારાસભ્યોના રાજીનામા બાદ ભાજપ કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર વિરૂદ્ધ આગામી સપ્તાહમાં અવિશ્વાસ પ્રસ્તાવ લઇને આવશે. આ વચ્ચે ભાજપ હાઇકમાન્ડના આદેશ પર કર્ણાટકના તમામ ભાજપ ધારાસભ્યોને ગુરૂગ્રામની એક હોટલમાં રાખવામાં આવ્યા છે. ભાજપને પણ ડર છે કે કોંગ્રેસ તેના ધારાસભ્ય તોડી શકે છે.
યેદિયુરપ્પાએ કહ્યું કે કોંગ્રેસ તેમના ધારાસભ્યોને લલચાવવાની કોશિશ કરી રહી છે. બન્ને દળો આ સમયે પોત-પોતાના ધારાસભ્યોને બચાવવામાં લાગી ગયા છે. બન્ને પાર્ટીઓ એકબીજાના ધારાસભ્યોનો પોતાના પક્ષમાં કરવાના પ્રયત્નોમાં છે.