દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને અપેક્ષા મુજબ જીત નહીં મળતાં પરિણામ બાદ પક્ષમાં હલચલ જોવા મળી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીની સાથે બેઠક કરી. ત્યારબાદ શુક્રવારના રોજ પાર્ટીના ઉમેદવારો અને સંગઠનોના લોકો સાથે હારની સમીક્ષાને લઇને દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવશે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ કરી બેઠક
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી વચ્ચે મુલાકાત
મનોજ તિવારીએ કહ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષને લઇને આ જવાબદારી હું સ્વીકારુ છું
ઉલ્લેખનીય છે કે આ વખતે 45-48 બેઠકોનો દાવો કરનારી ભાજપને દિલ્હીમાં માત્ર 8 બેઠક પર જીત મળી છે. ત્યારબાદ મનોજ તિવારીએ કહ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષને લઇને આ જવાબદારી હું સ્વીકારુ છું.
મનોજ તિવારીએ પત્રકાર પરિષદ કરી હારની જવાબદારી સ્વીકારી હતી તિવારીએ કહ્યું હતું કે કાર્યકર્તાઓએ જે કઠિન મહેનત કરી છે, તેના માટે બધાને ધન્યવાદ કહું છું. બધા કાર્યકર્તાઓએ ઘણી મહેનત કરી છે. દિલ્હીની જનતાએ જે જનાદેશ આપ્યો છે તેને સ્વીકારુ છું અને અરવિંદ કેજરીવાલને શુભેચ્છા પાઠવું છું. મનોજ તિવારીએ કહ્યું કે દિલ્હીને અમે અમારું સમર્થન આપીએ છીએ.અમને આશા છે કે તેઓ હવે રમત ઓછી રમશે અને કામ વધારે કરશે.
મનોજ તિવારીએ કહ્યું કે અમે અમારી રીતે ઘણી મહનેનત કરી છે, પરંતુ અમારી અપેક્ષા પૂરી થઇ નહીં. અમે અમારી હારને લઇને સમીક્ષા કરીશું. જો કે બુધવારે સાંજે મનોજ તિવારીએ રાષ્ટ્રીય અધ્યક્ષ પાસે પોતાના રાજીનામા અંગે રજૂઆત કરી હતી, પરંતુ અન્ય પ્રાથમિકાતના કારણે રાજીનામો સ્વીકાર કરાયો નહોતો.
જ્યારે હારને લઇને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટવિટ કરી કહ્યું, ભાજપા દિલ્હીની જનતાનો જનાદેશનું સન્માન કરે છે. દરેક કાર્યકર્તાઓએ આ ચૂંટણીમાં અનેક પરિશ્રમ કર્યું અને દિવસ-રાત ચૂંટણીના કામકાજમાં જોવા મળ્યાં.
નડ્ડાએ ટવિટ કરતાં કહ્યું કે ભાજપ આ જનાદેશનો સ્વીકાર કરતાં રચનાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવશે અને પ્રદેશના વિકાસ સાથે જુડાયેલ દરેક મુદ્દાને પ્રમુખ રીતે ઉઠાવશે.