પશ્ચિમ બંગાળમાં આવનારા વર્ષમાં ચૂંટણી પહેલા ફરી એક વાર નાગરિકતા સંશોધન કાયદા (CAA)નું ભૂત ફરી ધૂણશે. ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જેપી નડ્ડા એક દિવસના બંગાળ પ્રવાસ પર છે. આ દરમિયાન નડ્ડાએ એલાન કર્યુ છે કે બહું જલ્દી સીએએને લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોરોનાને કારણે મોડુ થયું છે. આ સાથે જ ભાજપ બંગાળની ચૂંટણીમાં સીએએને મુદ્દો બનાવવાની તૈયારીમાં છે.
નડ્ડાએ બંગાળમાં એલાન કર્યુ બહું જલ્દી સીએએને લાગુ કરવામાં આવશે
સીએએના તમામ નિયમો બની રહ્યા છે
કાયદાનો વિરોધ કરનારા રાજ્યોમાં પ. બંગાળ પણ હતુ
ઓગસ્ટની શરુઆતમાં એવો રિપોર્ટ હતો કે ગૃહ મંત્રાલયે વિવાદાસ્પદ કાયદાના નિયમો બનાવવા માટે 3 મહિનાથી વધારે સમય માંગ્યો છે. સીએએ લાગુ થવાથી સત્તારુઢ તુણમૂલ કોંગ્રેસ અને વિપક્ષી દળની ભાજપ સાથેના શાબ્દિક પ્રહાર નક્કી છે. ટીએમસીએ ન ફક્ત સંસદ પણ રસ્તાઓ પર આ કાયદાનો વિરોધ કર્યો હતો.
ભાજપના અધ્યક્ષે કહ્યું કે તમને સીએએ મળશે અને મળવાનું નક્કી છે. તમામ નિયમો બની રહ્યા છે. કોરોનાના કારણે થોડી અડચણો આવી રહી છે. જેમ જેમ કોરોના હટી રહ્યો છે, નિયમ બની રહ્યા છે. આ મળવાનું નક્કી છે.ઉલ્લેખનીય છે કે કાયદા અંતર્ગત પડોશી દેશ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગૈર મુસ્લિમ સમુદાયોના લોકોને નાગરિકતા આપવામાં આવશે. કાયદાનો વિરોધ કરનારા રાજ્યોમાં પ. બંગાળ પણ હતુ.
નડ્ડાએ બંગાળમાં સીએએની વાત કરી સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ હજુ પણ વિવાદાસ્પદ કાયદાને લઈને જુના વાયદા પર અડગ છે. નડ્ડાની આ ટિપ્પણીથી બંગાળમાં સીએએ ચૂંટણી મુદ્દો બનશે એ નક્કી છે.
2021 વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ઉત્તર બંગાળના ભાજપના નેતાઓ અને સામાજિક ધાર્મિક સંગઠનોની સાથે બેઠકમાં નડ્ડાએ રાજ્યમાં ભાજપની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપે અને મોદીજી મૂળ નીતિ છે. સૌનો સાથ સૌનો વિકાસ. બીજી પાર્ટીઓની નીતિઓ છે ભેદી નાંખો, સમાજને વહેંચો, અલગ અલગ કરીને રાખો. અલગ અલગ માંગ કરો અને રાજ કરો.’