ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ અયોધ્યા રામજન્મભૂમિ મંદિર નિર્માણ જમીન વિવાદ પર ટ્રસ્ટ પાસેથી પૂરી જાણકારી માંગી છે.
અયોધ્યામાં જમીન ખરીદી વિવાદનો મામલો
અમિત શાહ-જેપી નડ્ડાએ ટ્રસ્ટ પાસેથી જાણકારી માંગી
આરએસએસ પણ એક્શનમાં ટ્રસ્ટ પાસેથી રિપોર્ટ માંગ્યો
અયોધ્યામાં જમીન ખરીદી વિવાદનો મામલો વેગ પકડતો જાય છે. યુપીની રાજનીતિમાં ઘમાસાણ મચેલું છે. સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી સતત ભાજપને ઘેરવાની કોશિશ કરી રહી છે. આ વિવાદનો પડઘો પડતાં ભાજપ પણ એક્શનમાં આવ્યો છે. અમિત શાહ અને જેપી નડ્ડાની ઉપરાંત રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘે પણ શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટ પાસેથી જમીન વિવાદનો રિપોર્ટ માંગ્યો છે.
રામજન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવે આપ્યો ખુલાસો
જોકે રામજન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ અને વિશ્વ હિંદુ પરીષદના નેતા ચંપતરાયે જમીન ખરીદી પર પહેલેથી સત્તાવાર ખુલાસો આપી દીધો છે. તેમણે કહ્યું હતું કે આ જમીનની નોંધણી ઘણા વર્ષો પહેલા કરાવવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપ ગેરમાર્ગે દોરનારા છે અને રાજકીય બદલાની ભાવનાથી આરોપ કરાયા છે.
વિપક્ષે ચંપત રાય પર લગાવ્યો ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય સંજય સિંહ અને અયોધ્યાથી સમાજવાદી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય પવન પાંડેએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કરાવી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટના મહાસચિવ ચંપત રાય પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે રવિવારે આરોપ લગાવ્યો કે ભગવાન રામના નામ પર દાન લઈને ઘોટાળો કરવામાં આવી રહ્યો છે. સિંહે લખનૈઉમાં પ્રેસ કોન્ફરન્સ વખતે આરોપ લગાવ્યો કે ટ્ર્સટના મહાસચિવ ચંપત રાયે સંસ્થાના સદસ્ય અનિલ મિશ્રાની મદદથી બે કરોડ રૂપિયાની કિંમતની જમીન 18 કરોડ રૂપિયામાં ખરીદી હતી.
આ કારણે અયોધ્યામાં વધ્યા ભાવ
તેમણે આરોપ લગાવ્યો છે કે આ સીધો ફ્રોડનો મામલો છે અને સરકાર તેની સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસે તપાસ કરાવો. જોકે રાયે આરોપને ફગાવી નાખ્યા છે. મોડી રાતે તેમના તરફથી પ્રેસ રિલીઝ પણ જાહેર કરવામાં આવી. પ્રેસ રિલીઝમાં રામ જન્મભુમિ ત્રીથ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચમ્પતના હવાસે કહાવામાં આવ્યું છે કે 9 નવેમ્બર, 2019એ શ્રી રામ જન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટનો આદેશ જાણ્યા બાદ અયોધ્યામાં જમીન ખરીદવા માટે દેશને ઘણા લોકો આવવા લાગ્યા છે. ત્યાં જ ઉત્તર પ્રદેશ સરકાર પોતે અયોધ્યાના વિકાસ માટે મોટી માત્રામાં જમીન ખરીદી રહી છે. જેના કારણે અયોધ્યામાં જમીનોના ભાવ વધી ગયા છે.