ભાવનગર: ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા આજે નવા વર્ષ નિમિતે તેમના કાર્યાલય ખાતે સ્નેહમિલન નો કાર્યક્રમ યોજયો હતો.
અહીં જીતુ વાઘાણીએ ગુજરાતની જનતા ને નવા વર્ષ ની શુભેચ્છા પાઠવી હતી અને માં ભરતી વિશ્વના ટોચ ના સ્થાને બિરાજે તે માટે સૌ દેશવાસીઓ ને પ્રાર્થના કરી હતી.
આજથી શરૂ થતા અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જતું નૂતન પર્વ વિક્રમ સંવત ૨૦૭૫માં ગૌરવવંતા ગુજરાત અને ગુણિયલ ગુજરાતીઓને સર્વાંગી ઉન્નત્તિ માટે @BJP4Gujarat તરફથી અંતઃકરણથી શુભકામનાઓ.આવો આપણે સૌ નકારાત્મક અને વિભાજનકારી તમોગુણરૂપી તિમિરને ભગાવી આ પ્રકાશમય પર્વનું સ્વાગત કરીએ#સાલમુબારકpic.twitter.com/wOrMaB9YvG
જીતુ વાઘાણી એ આજે સવારે તેમના કાળુભા રોડ ઉપર આવેલા કાર્યાલય ખાતે પૂજા અર્ચન કરી હતી અને બાદમાં અહીં સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. અહીં ભાજપના આગેવાનો કાર્યકરો શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.