નવી દિલ્હી: ભાજપ અધ્યક્ષ અમિત શાહ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુંબઇ સ્થિત એમના ઘરે આવતીકાલે મુલાકાત કરશે. તમને જણાવી દઇએ કે ભાજપ હાલમાં 'સમર્થન માટે સંપર્ક' અભિયાન ચલાવી રહી છે એ હેઠળ અમિત શાહ સાંજે 6 વાગ્યે સેના પ્રમુથ સાથે મુલાકાત કરશે. આ પહેલા પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અત્યાર સુધી પૂર્વ ક્રિકેટર કપિલદેવ અને બાબા રામદેવ સહિત ઘણા લોકો સાથે મુલાકાત કરી ચુક્યા છે. આ અભિયાનના માધ્યમથી એ મોદી સરકારના ચાર વર્ષની ઉપલબ્ધિઓને લોકો સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.
આ પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ 'સમર્થન માટે સંપર્ક' અભિયાન હેઠળ સોમવારે પૂર્વ જજ આરસી લાહોટી અને યોગ ગુરુ બાબા રામદેવને મળ્યા. શાહે ત્યાર બાદ ટ્વિટ કર્યું મેં સમર્થન માટે સંપર્કત પહેલ હેઠળ માનનીય પૂર્વ મુખ્ય જસ્ટીસ આરસી લાહોટી સાથે એમના ઘરે મુલાકાત કરી.
એમની સાથે નરેન્દ્ર મોદી સરકારની ઉપલબ્ધિઓ પર ચર્ચા કરી. આ પહેલા ભાજપ અધ્યક્ષે આ અભિયાન હેઠળ યોગ ગુરુ રામદેવ સાથે મુલાકાત કરી હતીય ટ્વિટમાં એમને જણાવ્યું કે યોગ ગુરુને ચાર વર્ષના શાસનમાં સરકારની કલ્યાણકારી યોજનાઓ માટે જણાવ્યું. ઉલ્લેખનીય છે કે આગળની સામાન્ય ચૂંટણીની તૈયારીઓમાં ભાજપ 'સમર્થ માટે સંપર્ક' અભિયાન ચલાવી રહી છે.
26 મે સરકારે ચાર વર્ષ પૂર્ણ થવા પર વર્ષ દરમિયાન ચાલનાર આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ હેઠળ ભાજપને ચાર હજાર નેતા અને કાર્યકર્તા વિભિન્ન ક્ષેત્રની એક લાક હસ્તીઓને મળશે. એ એમને મોદી સરકાર દ્વારા અત્યાર સુધી કરેલા કાર્યોની જાણકારી આપશે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ખુદ 50 લોકો સાથે સંપર્ક કરશે. એ અત્યાર સુધી પૂર્વ પ્રમુખ દલબીર સુહાગ સંવિધાન વિશેષજ્ઞ સુભાષ કશ્યપ અને મહાન ક્રિકેટર કપિલ દેવને મળી ચુક્યા છે.