લોકસભા ચૂંટણીનો અંતિમ તબક્કો પશ્ચિમ બંગાળમાં હિંસક બની ગયો છે. મંગળવારના રોજ કોલકાતામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન ભારે હિંસા અને આગચંપીના બનાવ બન્યા. આ મુદ્દે ભાજપ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે.
આજરોજ દિલ્લીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદ યોજી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં જે ઘટના બની તેની હક્કીત જણાવા આવ્યો છું. દેશમાં કોઇપણ જગ્યાએ હિંસા નથી થઇ રહી, માત્ર પશ્ચિમ બંગાળમાં જે કેમ થઇ રહી છે. અમિત શાહે જણાવ્યું કે ભાજપ દેશભરમાં ચૂંટણી લડી રહ્યો છે, પરંતુ હિંસા માત્ર બંગાળમાં જ થઇ રહી છે.
અમિત શાહે ટીએમસી પર આરોપ લગાવતાં કહ્યું કે ટીએમસી પક્ષના કાર્યકરોએ બાઇક અને ગાડીને આગચંપી કરી. જો ગઇકાલે સીઆરપીએફ રોડ શો દરમિયાન સાથે ન હોત તો મારું જીવિત નિકળવું મુશ્કેલ હતું. ઉલ્લેખનીય છે કે 19 મેના રોજ યોજાનારી લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન પહેલા અમિત શાહે 14 મે ના રોજ કોલકાતામાં એક રોડ શોનું આયોજન કરેલું હતું.
અમિત શાહના રોડ શોમાં ભાજપના કાર્યકર્તાઓએ 'મોદી-મોદી' ના નારા લગાવતા ભાગ લીધો. જો કે રોડ શોના અંતમાં ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે એકબીજા સાથે ઘર્ષણ જોવા મળ્યું. આ દરમિયાન આગચંપી તેમજ ઇશ્વરચંદ વિદ્યાસાગરની મૂર્તિ તોડી પાડવામાં આવી. ભાજપ તૃણમુલ કોંગ્રેસ પર લોકશાહીને છિન્ન-ભિન્ન કરવાનો આરોપ લગાવી રહ્યું છે. જ્યારે તૃણમુલ કોંગ્રેસ ભાજપના કાર્યકર્તાઓ પર આગચંપી તેમજ તોડફોડનો આરોપ લગાવી રહ્યું છે.
मैं इतना कहना चाहता हूं कि अगर CRPF न होती तो मेरा वहां से बच निकलना बहुत मुश्किल था, सौभाग्य से ही मैं बचकर आया हूं।
પશ્ચિમ બંગાળમાં ગઈકાલે અમિત શાહની રેલી દરમિયાન ભારે હિંસા થઈ હતી. આ મુદ્દે ભાજપ અને ટીએમસી એકબીજા પર આરોપ લગાવી રહી છે. ત્યારે ટીએમસીએ વીડિયો જાહેર કરીને હિંસા માટે ભાજપને જવાબદાર ઠેરવી છે. ટીએમસીએ વિદ્યાસાગર કોલેજમાં થયેલી આગચંપીનો વીડિયો જાહેર કરીને કહ્યું કે, અમિત શાહના રોડ શોમાં સામેલ કાર્યકર્તાઓએ આગચંપી કરી છે. ભાજપના કાર્યકર્તાઓએ કોલેજમાં પણ હુમલો કર્યો અને વાહનોમાં પણ આગચંપી કરી છે.