કૃષિ કાયદાના મુદ્દા પર ખેડૂતો અને વિપક્ષોના વિરોધનો સામનો કરી રહેલી ભાજપ સરકાર હવે ફ્રન્ટફુટ પર રમવાની તૈયારી કરી રહી છે. ભાજપ શુક્રવારથી દેશમાં અલગ અલગ શહેરોમાં 700 પ્રેસ કોન્ફરન્સ અને ચૌપાલનું આયોજન કરશે.
પીએમ મોદીએ કહ્યું વિપક્ષ ખેડૂતોને ભડકાવી
પ્રેસ કોન્ફરન્સ કરી કૃષિ કાયદાના ફાયદા ગણાવ્યા હતા
ભાજપનો દાવો છે કે 3 કાયદો ખેડૂતોના ફાયદામાં
આના માધ્યમથી સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાના ફાયદાઓ ગણાવવામાં આવશે અને ખેડૂતોને આના માધ્યમથી સમજાવવામાં આવશે. ભાજપ આ દરમિયાન દેશમાં સૌથી વધારે ખેડૂત સંમેલન પણ કરશે. જ્યારે દરેક જિલ્લામાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે.
કાયદામાં કેટલાક સંશોધનો સૂચવ્યા પરંતુ વાત બની નહોંતી.
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાઓનો ખેડૂતો પૂર જોશમાં વિરોધ કરી રહ્યા છે. ગત 2 અઠવાડીયાથી દિલ્હીની સીમાં પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે ખેડૂતોની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. કાયદામાં કેટલાક સંશોધનો સૂચવ્યા પરંતુ વાત બની નહોંતી.
પ્રેસ કોન્ફરન્સ કરી કૃષિ કાયદાના ફાયદા ગણાવ્યા હતા
તેવામાં ભાજપે પાર્ટી સ્તર પર કૃષિ કાયદાના મુદ્દાને જનતાની સામે રજુ કરવાનો પ્લાન બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદા પર એક બુકલેટ જારી કરવામાં આવી હતી. જેમાં 3 કૃષિ કાયદાના ફાયદા ગણાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે પણ પ્રેસ કોન્ફરન્સ કરી કૃષિ કાયદાના ફાયદા ગણાવ્યા હતા અને ખેડૂતોને આંદોલન ખતમ કરવાનું કહ્યું હતું.
ભાજપનો દાવો છે કે 3 કાયદો ખેડૂતોના ફાયદામાં
ભારતીય જનતા પાર્ટીએ સતત કૃષિ કાયદાના મુદ્દા પર વિપક્ષ પર ખેડૂતોને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે વિપક્ષ ખેડૂતોના ખભે બંદૂક મુકીને વચેટિયાઓનો પક્ષ લઈ રહી છે. ભાજપનો દાવો છે કે 3 કાયદો ખેડૂતોના ફાયદામાં છે. જો ખેડૂતોને કેટલીક શંકાઓ છે તો વાતચીતથી સમાધાન નિકળી શકે છે. હાલમાં જ રાજસ્થાનમાં પંચાયત ચૂંટણી અને દેશના અન્ય રાજ્યોમાં થયેલી કેટલીક ચૂંટણીમાં જીત બાદ ભાજપ તરફથી આને કૃષિ કાયદાના સમર્થન તરીકે લીધું હતુ. ગત દિવસોમાં પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ કરી દાવો કર્યો છે કે રાજસ્થાનમાં 2 કરોડથી વધારે ખેડૂતો ભાજપના પક્ષમાં મતદાન કર્યુ છે.
પીએમ મોદીએ કહ્યું વિપક્ષ ખેડૂતોને ભડકાવી
પીએમ મોદીએ અનેક પ્રસંગે આરોપો લગાવ્યા છે કે વિપક્ષ ખેડૂતોને ભડકાવી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકાર એમએસપી ખતમ નહીં કરે. મંડી સિસ્ટમોમાં પણ કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં નહીં આવે. સરકાર તરફછી ખેડૂતોને લેખત સંશોધન આપવામાં આવ્યા હતા. જેમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે ખેડૂતોએ સરકારના સંશોધનને માનવાથી ઈનકાર કરી દીધો છે અને કાયદાને રદ્દ કરવાની માંગ પર અડ્યા છે.