આજે રાજ્ય સરકારનાં નવા મંત્રીમંડળનાં શપથગ્રહણને આવતીકાલે ફરીથી ગોઠવવામાં આવ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર શું ખિચડી રંધાઈ રહી છે તેને લઈને રાજકારણ ગરમાયું છે.
નવા મંત્રીમંડળને લઇ સસ્પેન્સ
ભાજપે સ્ટ્રેટર્જી બદલી
આવતીકાલે યોજાશે શપથવિધિ
મંત્રી મંડળના નિર્ણય મુદ્દે ભાજપે બદલી સ્ટ્રેટરજી
ગુજરાતમાં નવા મુખ્યમંત્રની સાથે સાથે આખું નવું મંત્રીમંડળ રચવાને લઈને મોટી ઉથલપાથલ થયેલી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યાલય કમલમમાં નીરવ શાંતિ જોવા મળી રહી છે. રાજ્યના રાજકારણમાં આવેલ ગરમાવા વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પોતાની રણનીતિને ગુપ્ત રાખવા માટે મંત્રીમંડળનાં નિર્ણયોનું સ્થાન બદલી નાંખ્યું છે. ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં સન્નાટો છવાયો છે અને સમગ્ર નિર્ણયો કોઈ ગુપ્ત સ્થાનેથી લેવાઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. રાજ્યમાં હવે આવતીકાલે નો રિપીટ થીયરી સાથે નવા મંત્રીઓ શપથ લેશે.
અચાનક જ શપથ ગ્રહણ પર લાગ્યું ગ્રહણ
અચાનક જ મંત્રી મંડળ શપથવિધિનો કાર્યક્રમ રદ્દ કરી દેવાતા ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો, 15 સપ્ટેમ્બરના રોજ 4.20 કલાકે નો રિપિટેશનના નિર્ણય આધારે મંત્રીઓનો શપથ કાર્યક્રમ યોજાવાનો હતો પરંતુ છેલ્લી ઘડીએ શપથ ગ્રહણ પર ગ્રહણ લાગતાં ગુરુવારે એટલે કે આવતીકાલે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે, નો રિપિટેશનના નિર્ણયને મોવડી મંડળે વધાવ્યો છે. જૂના મંત્રીઓને નવા મંત્રી મંડળમાં સ્થાન નહીં મળે. પોલીસને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ ગઈ છે.
સૌરાષ્ટ્ર-કચ્છના મંત્રીઓને ફોન કરવાની જવાબદારી રૂપાણીને સોંપાઇ
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી સરકારની અંદર ઉથલપાથલનો દોર શરૂ થયો છે. રાજ્યને નવા મુખ્યમંત્રી મળી ગયા છે ત્યારે નવા મંત્રીઓને મોટી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યમાં નવા મંત્રીઓમાં નો રિપીટ થીયરીને અપનાવવામાં આવશે અને પૂર્વમાં મંત્રી રહી ચૂકેલા એકેયને ફરીથી મંત્રી બનાવાશે નહીં ત્યારે આજનો શપથગ્રહણ કાર્યક્રમ ટાળી દેવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટીનાં અમુક સિનિયર નેતાઓ તથા કોંગ્રેસમાંથી આવેલ નેતાઓ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે હવે નીતિન પટેલ અને રૂપાણીને મોટી જવાબદારી આપવામાં આવી છે. શપથવિધિ માટે રૂપાણી, નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલને ફોન કરવાની જવાબદારી આપવામાં આવી છે. નવા મંત્રીઓને ટેલિફોનિક જાણ કરવા માટે ઝોન વાઇસ જવાબદારી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના મંત્રીઓને ફોન કરવાની જવાબદારી રૂપાણીને સોંપાઇ છે જ્યારે મધ્ય-ઉત્તર ગુજરાતના મંત્રીઓને નીતિન પટેલ ફોન કરશે તથા દ.ગુજરાતના નવા મંત્રીઓને પાટીલ ટેલિફોનિક જાણ કરશે.