આજે કેન્દ્રીયમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને તરૂણ ચુગ ગુજરાત પહોંચ્યા છે, બપોરે મળનારી ધારાસભ્યોની બેઠક બાદ નવા મુખ્યમંત્રીના નામથી થઈ શકે છે જાહેરાત
ગાંધીનગરના કમલમ ખાતે ધારાસભ્યોની બેઠક
મુખ્યમંત્રીનું નામ નક્કી કરવાને લઇને થશે ચર્ચા
દિલ્હીથી આવેલા બે નિરિક્ષકો નામ પર મારશે મહોર
ગુજરાતમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે એ મુદ્દાને લઈને રહસ્ય અકબંધ છે ત્યારે આજે કેન્દ્રીયમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને તરૂણ ચુગ આજે ગુજરાત આવી પહોંચ્યા છે અને સત્તાવાર રીતે આજે બપોરે મળનારી ધારાસભ્યોની બેઠક બાદ નવા મુખ્યમંત્રીનું નામ જાહેરાત કરશે.
દિલ્હીથી આવેલા બે નિરિક્ષકો નામ પર મારશે મહોર
આજે વહેલી સવારથી બંને નિરીક્ષકો અમદાવાદ આવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ઉલ્લેખનીય છે કે આજે બપોરે 3 વાગ્યે ધારાસભ્યોની બેઠક મળવાની છે ત્યારે આ બેઠક બાદ બંને નિરીક્ષકો સત્તાવાર રીતે CMના નામની જાહેરાત કરી શકે છે એવું પણ મનાઈ રહ્યું છે અહીં ભાજપના કેન્દ્રિય નિરિક્ષકે નરેન્દ્રિસિંહ તોમરે કહ્યું કે અમે અહીં ગુજરાતના આગામી મુખ્યમંત્રીના નામ પર વધુ ચર્ચા કરવા માટે આવ્યા છીએ. અમે પ્રદેશ અધ્યક્ષ અને અન્ય નેતાઓ સાથે ચર્ચા કરીશું.
હવે રાજકારણમાં અનેક અટકળો વહેતી થઈ છે.
ગુજરાતમાં વિજય રુપાણીએ CM પદ પરથી રાજીનામું આપ્યા બાદ અનેક ચર્ચાઓ અને અટકળો વહેતી થઈ છે ત્યારે હવે કેબીનેટ રિ-સફલીંગના મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે ભાજપમાં મુખ્યમંત્રી કોણ બનશે એ બહુધા નક્કી જ છે કેટલીક ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ જાહેરાત કરવાની બાકી છે ત્યારે કેન્દ્રિય અમિત શાહ ગૃહમંત્રી ગુજરાત આવી શકે છે તેવું પણ મનાઈ રહ્યું છે તેમના ગુજરાત આવવાનો પ્લાન ગઈ કાલે જ ઘડાઈ ગયો હતો પરતું દિલ્હીમાં ભારે વરસાદના કારણે તેઓ આવી શક્ય ન્હોતા.
મુખ્યમંત્રીનું નામ નક્કી કરવાને લઇને થશે ચર્ચા
મહત્વનું છે કે આજે રવિવારે બપોરે ધારાસભ્ય દળની બેઠક મળશે અને ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામ પર સહમતી સંધાશે આ વચ્ચે,મંત્રી મંડળમાં પણ ઘણા ફેરફાર થવાની સંભાવનાઓ તેજ બની છે રાજ્યના છ જેટલા મંત્રીની કામગીરી અસરકારક ના હોવાની વહેતા 6 કે તેથી વધુ મંત્રીઓની ખુરશી જોખમાવાની હોવાનું મનાઈ રહ્યું છે.ગુજરાતના નવા મુખ્યમંત્રી કોઈ પણ હશે પરંતુ નવા મંત્રી મંડળમાં ફેરબદલ ચોક્કસ હશે.
ગુજરાતના મંત્રી મંડળમાં પણ થઈ શકે છે ફેરફાર
મહત્વનું છે કે જેમ વડાપ્રધાન મોદી ખુદ, કેન્દ્રીય મંત્રી મંડળમાં પરફોર્મન્સ રીવ્યુ કરે છે.તેમ ગુજરાતમાં પણ વિજય રૂપાણીની વિદાય સાથે 'ગજીફો ચિપાશે'.એટલે રૂપાણી સરકારમાં બિન અસરકારક કામગીરી જે મંત્રીઓના ખાતામાં દેખાશે તેમને મંત્રી મંડળમાંથી બહાર કરવામાં આવશે.જો કે, જ્ઞાતિ-જાતિના સમીકરણ સાચવવા જે મંત્રીઓને સ્થાન અપાયા છે અને વિસ્તારનું પ્રતિનિધિત્વ પણ સચવાઈ રહે તેવો આશય સરકારનો હશે.પણ,હવે મુખ્યમંત્રી બદલાતા આ સમીકરણો પણ બદલાઈ જશે.