મધ્યપ્રદેશની સરકાર પર દિલ્હીથી ભોપાલ સુધી રાજકીય મહાભારત ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે મંગળવારે દિલ્લીમાં ભારતીય જનતા પાર્ટી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કરવા મુદ્દે બેઠકમાં ચર્ચાં થઇ હતી. નોંધનીય છે કે 26 માર્ચે 17 રાજ્યોની 55 બેઠકો પર ચૂંટણી થવાની છે. ત્યારે આજરોજ ભાજપ દ્વારા MP સિવાયના રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા છે.
ભાજપ રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કરશે
દિલ્લીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી કમિટિની બેઠક
PM મોદી,ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે થઇ ચર્ચા
ઉલ્લેખનીય છે કે 17 રાજ્યોની 55 બેઠક પર રાજ્યસભાના સાંસદોનો કાર્યકાળ ખતમ થઇ રહ્યો છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં રાજ્યસભાના ઉમેદવાર અંગે મંથન થયું હતું. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યાં હતા અને ઉમેદવાર અંગે ચર્ચા થઇ હતી. ભાજપ આજે રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર જાહેર કરી શકે છે.
દિલ્હીમાં મળેલી ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી કે પાર્ટી રાજ્યસભાની ચૂંટણીની ચર્ચા કરી રહી હતી. જો કે એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપ રાજ્યસભાની મધ્યપ્રદેશમાંથી ટીકિટ આપે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ મધ્ય પ્રદેશની ત્રણ રાજ્યસભાની બેઠક અંગે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી.
ખરેખર કુલ 17 રાજ્યની 55 રાજ્યસભાના સાંસદોનો કાર્યકાળ એપ્રિલમાં પુરો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 7, પશ્ચિમ બંગાળ અને બિહારમાં 5-5 અને તામિલનાડુમાં 6 બેઠક ખાલી થઇ રહી છે. આ જરીતે ઓડિશા અને ગુજરાતમાં 4, આસામમાં 3, આંધ્ર પ્રદેશમાં 4, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 3-3, હિમાચાલ પ્રદેશ અને મણિપુરમાં 1-1, છત્તીસગઢ, તેલંગાણા, હરિયાણા અને ઝારખંડમાં 2-2 બેઠક પર ચૂંટણી યોજાવા જઇ રહી છે.