ભાજપના શ્રીલંકા અને નેપાળમાં વિસ્તરણની ખબરોને શ્રીલંકન ચૂંટણી પંચે રદિયો આપ્યો છે.
શ્રીલંકાના કાયદાઓ વિદેશી પક્ષને શ્રીલંકામાં કામ કરવાની મંજૂરી આપતા નથી-પંચનો ખુલાસો
અમિત શાહ શ્રીલંકા અને નેપાળમાં ભાજપનો વિસ્તાર કરવા માગે છે-ત્રિપુરાના સીએમે કહ્યું હતું
ત્રિપુરાના સીએમના નિવેદન બાદ ચર્ચાનું બજાર ગરમ બન્યું
શ્રીલંકાના ચૂંટણી પંચે કહ્યું કે દેશનું ચૂંટણી પંચ આ પ્રકારના પ્રબંધની વ્યવસ્થાની મંજૂરી આપતું નથી. તેમણે કહ્યું કે શ્રીલંકાના ચૂંટણી કાયદાઓ કોઈ વિદેશ દળને શ્રીલંકામાં કામ કરવાની મંજૂરી આપતું નથી. દક્ષિણી દેશના ચૂંટણી પંચના પ્રમુખ નિમલ પંચીવાએ આ જણાવ્યું હતું.
દેબેના આ નિવેદન બાદ ચર્ચાનું બજાર ગરમ થયું
હકીકતમાં ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેવે ગત દિવસોમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના વીઝન અંગે જણાવ્યું હતું કે તેઓ શ્રીલંકા અને નેપાળમાં પણ ભાજપનો વિસ્તાર કરવા માગે છે. પાર્ટી કાર્યકરોને સંબોધિત કરતા દેબે કહ્યું હતું કે અમિત શાહ જ્યારે પાર્ટી અધ્યક્ષ હતા ત્યારે તેમણે અમને કહ્યું હતું કે તેઓ નેપાળ અને શ્રીલંકામાં ભાજપનું વિસ્તરણ કરવા માગે છે.
શ્રીલંકાના કોઈ પણ રાજકીય દળ વિદેશમાં કોઈ પક્ષ કે સમૂહ સાથે સંબંધ રાખતા નથી
દેબેના આ નિવેદન બાદ ચર્ચાનું બજાર ગરમ થયું હતું. આ દરમિયાન શ્રીલંકાના ચૂંટણી પંચના પ્રમુખ નિમિલ પંચીવાને જાતે આગળ આવીને આવી કોઈ સંભાવનાને રદિયો આપ્યો હતો. તેમણે કહ્યું કે શ્રીલંકાના કોઈ પણ રાજકીય દળ વિદેશમાં કોઈ પક્ષ કે સમૂહ સાથે સંબંધ રાખતા નથી પરંતુ અમારુ ચૂંટણી પંચના કાયદા બીજા કોઈ વિદેશી દળને શ્રીલંકામાં કામ કરવાની મંજૂરી આપતા નથી.