રાજ્યસભાની ચૂંટણીને લઇને હાલ કોંગ્રેસમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઇકાલે 4 ધારાસભ્યોના રાજીનામા બાદ આજે એક વધુ ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. જેને લઇને ભાજપના રાજ્યસભાના ઉમેદવાર નરહરી અમિને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ પોતાનું ઘર ન સાચવી શકી.
ભાજપના ઉમેદવાર નરહરી અમિનનુ નિવેદન
ભાજપના ત્રણેય ઉમેદવારો જીતવાના છે
મારે કોંગ્રેસના ધારાસભ્યો સાથે હજૂ પણ સંબંધ
રાજ્યસભાના ભાજપના ઉમેદવાર નરહરી અમિને નિવેદન આપ્યું છે કે ભાજપના ત્રણેય ઉમેદવારો જીતશે. કોંગ્રેસના ધારાસભ્યોમાં નારાજગી છે, કોંગ્રેસ પોતાનું ઘર ન સાચવી શકી. કોંગ્રેસે પોતાનું ઘર સાચવવું જોઇએ.
નરહરી અમિને ધારાસભ્યને રૂપિયા આપવાની વાતને અફવા ગણાવી હતી. કોંગ્રેસ પર આરોપ લગાવતાં નરહરી અમિને કહ્યું કે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી શક્યું નથી. દિલ્હીથી લઇ ગુજરાત સુધી કોંગ્રેસમં જૂથબંધી છે.
નરહરી અમિને રાજ્યસમાં પોતાની જીતને લઇને દાવો કરતાં કહ્યું કે અમને BTP, NCP મદદ કરશે. મારા બધા ધારાસભ્યો સાથે સંબંધો છે. મારે કોંગ્રેસના ધારાસભ્યો સાથે પણ હજુ સંબંધ છે. મારી સાથે કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો ટેલિફોનિક કોન્ટેક્ટમાં છે. મને જીત માટે પુરો વિશ્વાસ છે. કોંગ્રેસમાં અંદરોઅંદર ઝઘડાઓ ચાલે છે.