NOTAના કારણે ભાજપના ઉમેદવાર હાર્યા; ખેડબ્રહ્મા બેઠક પર નોટાને 7331 વોટ મળ્યા, જો નોટાના વોટ અશ્વીન કોટવાલને મળ્યા હોત તો તે જીતી જાત
NOTAના કારણે ભાજપના ઉમેદવાર હાર્યા
નોટાએ અશ્વીન કોટવાલનો ખેલ બગાડ્યો
સોમનાથમાં પણ NOTA ભાજપનો ખેલ બગાડ્યો
ગુજરાતમાં જનતાનો વિશ્વાસ જીતી ભાજપે ભવ્ય જીત મેળવી છે જેમા તેમને 156 બેઠકો મળી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટમાં ભાગ પડાવ્યો અને કોંગ્રેસ હારી તેવું નિવેદન કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે. ત્યારે ભાજપને NOTAએ નુકસાન કરાવ્યુ છે. જો નોટાના વોટ ભાજપના ઉમેદવારને મળ્યા હોત તો વધુ બેઠક જીતી શકત એવી પણ ચર્ચા ચાલી રહી છે. આ વાત માત્ર જો અને તો પર આધારિત છે પણ ગણિત સમજવા જેવુ ખરું છે.
નોટાએ અશ્વીન કોટવાલનો ખેલ બગાડ્યો
આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક જીત મેળવી, કોંગ્રેસ અને આપ વચ્ચે વોટો વહેચાઈ ગયા અને બંનેના ખેલ બગડ્યા છે પરંતુ એક પક્ષે નોટાએ પણ ઉમેદવારોના ખેલ બગડ્યા હોય તેવુ સામે આવ્યુ છે. જો નોટાના વોટ ભાજપમાં પડ્યા હોત તો ભાજપના વધુ ત્રણ ઉમેદવાર આ ચૂંટણી જીતી ગયા હોત અને ભાજપની બેઠક 156થી વધીને 159 થઈ ગઈ હોત કઈ બેઠકોમાં નોટાએ ખેલ બગાડ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અશ્વીન કોટવાલને આ વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. અશ્વીન કોટવાલ ભાજપમાંથી લડી રહ્યા હતા અને ધારાસભ્ય હોવાથી તેઓ જીતી જશે તેવુ લાગી રહ્યું હતુ પરંતુ તેમનો ખેલ નોટાએ બગાડ્યો છે. ખેડબ્રહ્મા બેઠક પર નોટાને કુલ 7331 વોટ મળ્યા હતા. જો નોટાના વોટ અશ્વીન કોટવાલને મળ્યા હોત તો જીતી જાત. તૃષાર ચૌધરી અને અશ્વીન કોટવાલ વચ્ચે હાર-જીતનું અંતર માત્ર 3300 વોટનું જ રહ્યું હતુ. જો નોટામાંથી અડધા વોટ પણ કોટવાલને મળ્યા હોત તો જીતી જાત એવું કહેવાઈ રહ્યું છે.
સોમનાથમાં પણ NOTA નડ્યો
સોમનાથના ઉમેદવાર માનસિંહ પરમારની પણ હાર થઈ છે. માનસિંહ પરમાર માટે ખુદ નરેન્દ્ર મોદીએ સોમનાથમાં પ્રચાર કર્યો હતો. સોમનાથના મંદિરમાં પુજા અર્ચના કરી હતી. લોકોને માનસિંહ પરમારને જીતાડવા માટે અપિલ કરી હતી. પરંતુ માનસિંહને જનતાએ જીત જેટલા વોટ ન આપ્યા. સોમનાથમાં પણ ભાજપના ઉમેદવારની હારનું એક કારણ NOTA છે. જો નોટાના વોટ માનસિંહ પરમારને મળ્યા હોત તો તેમની જીત થાત પરંતુ તેમની હાર થઈ છે માનસિંહ પરમાર માત્ર 922 મત ન મળવાને કારણે હાર્યા છે. અહીં પણ જો નોટાના વોટ માનસિંહ પરમારને મળ્યા હોત તો જીતી જાત.
ચાણાસમા બેઠક પર દિલીપ ઠાકોરની હાર
ચાણાસમા બેઠક પરથી ભાજપના ઉમેદવાર દિલીપ ઠાકોરની હાર થઈ છે. દિલીપ ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર દિનેશ ઠાકોર સામે હાર્યા છે. પાટણની ચાણસ્મા બેઠક પરથી ભાજપ જીત ઈચ્છી રહ્યું હતુ ત્યારે હાર મળી છે. અહીં પણ NOTA ફેક્ટરને કારણે ભાજપનો ઉમેદવાર હાર્યો તેવુ કહી શકાય છે. જો ભાજપના ઉમેદવારને માત્ર 1404 વધુ વોટ મળ્યા હોત તો તેઓ કોંગ્રેસના ઉમેદવારને હરાવી શકત પરંતુ NOTAએ સમગ્ર ખેલ બગાડ્યો છે.
હાર-જીતના કારણો તો અનેક છે અને જો અને તોના કારણો અહીં કામ કરે છે. પરંતુ આવા નાના કારણો ભેગા કરીએ તો હાર-જીતના ગણિતને સમજી શકાય છે. અહીં NOTAનો રોલ મહત્વનો છે. જનતાને જ્યારે કોઈ ઉમેદવાર પસંદ ન પડે ત્યારે નોટામાં પોતાનો વોટ નાંખતા હોય છે ત્યારે હવે ઉમેદવારો જ નોટાને પસંદ નથી કરી રહ્યાં છે.