જેને જ્યાં મત આપવો હોય ત્યાં છૂટ છે, મને કોઈ વાંધો નથી: જેઠા ભરવાડ
8મીએ પરિણામ આવ્યા બાદ મારો વખત આવશે: ભરવાડ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ગુજરાત વિધાનસભાની 89 બેઠકો માટે ગુરુવારે યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં કુલ 61 ટકા મતદાન નોંધાયું છે. બીજા તબક્કાના મતદાનની ઘડીઓ ગણાઇ રહી છે, એવામાં શહેરા બેઠકના ભાજપના ઉમેદવારનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ મતદારોને ધમકાવતા જોવા મળી રહ્યા છે.
જેઠા ભરવાડની મતદારોને ખુલ્લી ધમકી
પંચમહાલના શહેરાના ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ મતદારોને ખુલ્લી ધમકી આપતા જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં શહેરા વિધાનસભા મતવિસ્તારના રતનપુર ગામમાં એક જાહેરસભા દરમિયાન ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડે કહ્યું હતું કે, 'બધાને કહું છું ગભરાતા નહીં, હું બેઠો છું ગભરાવાની જરૂર નથી. જેઠા ભરવાડ જીતેલા છે, તેમાં કોઈ શંકા નથી.'
તેમણે મતદારોને ધમકાવતા કહ્યું હતું કે, 'જેને જ્યાં મત આપવો હોય ત્યાં છૂટ છે, મને કોઈ વાંધો નથી. જેને જે ફેરવવું હોય એ ફેરવે મને કોઈ ફરક પડવાનો નથી. 8મીએ પરિણામ આવ્યા પછી મારો દિવસ આવશે અને 2027 સુધી જેઠા ભરવાડ ધારાસભ્ચ છે, જેને જ્યાં લખવું હોય ત્યાં લખી લે. 2027 પછી કોને ધારાસભ્ય બનાવવો એ પણ હું નક્કી કરીશ.'
2027માં ધારાસભ્ય કોણ બનશે તે પણ હું નક્કી કરીશ: ભરવાડ
પ્રાપ્ત વિગતો મુજબ, શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ રતનપુર ગામમાં સભા કરવા ગયા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે, જ્યાં વોટ આપવો હોય ત્યાં આપો. 8મીએ રિઝલ્ટ આવે પછી મારો વારો આવવાનો ચાલુ થશે અને 2027 સુધી હું જ ધારાસભ્ય છું અને આ બાદ કોને બનાવવાના છે તે પણ હું નક્કી કરીશ એટલે મારા સિવાય કોઈને વોટ નથી આપવાનો.
જુઓ વીડિયો
સળગતા સવાલો
જેઠા ભરવાડની દાદાગીરી
જેઠા ભરવાડ કેમ મતદારોને ધમકાવી રહ્યા છે?
મતદારોને મત આપવા ધમકાવવા કેટલુ વ્યાજબી ?
8મી બાદ મારો વખત આવશે નો મતલબ શું ?
શું જેઠા ભરવાડ કાયદાથી પર છે?
જેઠા ભરવાડ કેમ દાદાગીરી પર ઉતરી આવ્યા?
લોકોની સેવા કરવા ધારાસભ્ય બનનારનો આટલો અહંકાર કેટલો યોગ્ય ?