રાજકોટના આટકોટમાં પીએમ મોદીના કાર્યક્રમ બાદ ભાજપની લિસ્ટમાં બે નામનો થયો ઉમેરો. પરેશ ગજેરા- ડૉ. ભરત બોઘરાનું નામ ટિકિટ લિસ્ટમાં થયુ સામેલ
રાજકોટના આટકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ
ડો.ભરત બોઘરા જનમેદની એકઠી કરવામાં સફળ રહ્યાની ચર્ચા
PMના કાર્યક્મ બાદ ડો.ભરત બોધરા-પ્રમુખ પરેશ ગજેરાનું નામ ઉમેરાયું
રાજકોટના આટકોટમાં પીએમ મોદીના હસ્તે માતૃશ્રી કે.ડી.પી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે લાખોની સંખ્યામાં જનમેદની એકઠી થઇ હતી. પીએમ મોદીના સભા સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે આ પ્રસંગ બાદ ડૉ. ભરત બોઘરાની ચોમેર ચર્ચાઓ થઇ રહી છે. આટલી મોટી જનમેદની એકઠી કરવામાં સફળ રહ્યાની ચર્ચા થઇ રહી છે.
જસદણમાં ભાજપ કોને આપશે ટિકિટ ?
મહત્વનું છે કે જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ફરી એકવાર ગુજરાત બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરા ભાજપનો ચહેરો હોઇ શકે છે તે વાતે જોર પકડ્યુ છે. રાજકોટના આટકોટ ખાતે આટલી મોટી જનમેદની જોતા જસદણ બેઠક પર કોને ટિકિટ આપવી તેની અટકળો અત્યારથી જ શરૂ થઇ ગઇ છે. ત્યારે પીએમના કાર્યક્રમ બાદ ડૉ.ભરત બોધરા-પ્રમુખ પરેશ ગજેરાનું નામ ઉમેરાયું છે. મહત્વનું છે કે પરેશ ગજેરા એક સમયે ખોડલધામના પ્રમુખ રહી ચુક્યા છે.
પરેશ ગજેરા પણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ચહેરો હોઇ શકે છે. ભાજપ રાજકોટથી પરેશ ગજેરાને લડાવી શકે છે.
પરેશ ગજેરા પણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ચહેરો ?
મહત્વનું છે કે પરેશ ગજેરા ગજેરા પ્રતિભાશાળી અને લોકપ્રિય નેતા તરીકેની ઓળખ ધરાવે છે. તેઓએ અનેકવાર નરેન્દ્ર મોદીના કાર્યોને વખાણી ચૂક્યા છે. તેઓને સૌથી મોટી પાટીદાર વોટબેંક માટે ભાજપ પરેશ ગજેરાને તક આપી શકે છે કારણ કે એવું માનવામાં આવે છે કે જો પરેશ ગજેરા રાજકોટથી ચૂંટણી લડે તો કાલાવડ, જૂનાગઢ, જામનગર , અમરેલી, સુરત સહિતના વિસ્તારોમાં પાર્ટીને લાભ થશે. મહત્વનું છે કે પરેશ ગજેરા ખોડલ ધામ ટ્રસ્ટના પ્રમુખ રહી ચૂક્યા છે.
લોકાર્પણના પોસ્ટરમાં કુંવરજીને સ્થાન ન મળ્યાની ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આટકોટમાં મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, ત્યારે હોસ્પિટલ લોકાર્પણના પોસ્ટરમાં કુંવરજી બાવળિયાને સ્થાન આપવામાં આવ્યું નહોતું. આ મુદ્દે કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મારા ફોટા આ વિસ્તારના લોકોના દિલમાં છે. મારા કાર્યને કારણે લોકોના દિલમાં મારા ફોટા છે. ઉલ્લેખનીય છે કે, ડૉ.ભરત બોઘરા અને કુંવરજી વચ્ચે રાજકીય અંતર છે. જેને કારણે પોસ્ટરમાં કુંવરજીને સ્થાન ન મળ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે.