છત્તીસગઢ ચૂંટણીમાં ભાજપને 34 થી 39 બેઠકો મળી શકે છે. તેવી જ રીતે કોંગ્રેસને 47 થી 52 બેઠકો મળે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે.
...તેવા રાજ્યોમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી ન લડવી જોઈએ
છત્તીસગઢમાં ભાજપને મળી શકે છે 34 થી 39 બેઠકો
કોંગ્રેસને 47 થી 52 બેઠકો મળશે, દાવો
છત્તીસગઢમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ભાજપ, કોંગ્રેસની સાથે હવે આમ આદમી પાર્ટી પણ જંગમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. ત્યારે છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલે આમ આદમી પાર્ટીને અગાઉ સલાહ આપી હતી જે રાજ્યમાં કોંગ્રેસ મજબૂત છે તે રાજ્યમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી ન લડવી જોઈએ. કારણ કે ભાજપ આમ આદમી પાર્ટીને કેવી રીતે ટોર્ચર કરી રહ્યું છે તે તેને સમજવું જોઈએ. કોંગ્રેસ બીજેપીને સીધી ટક્કર આવે તેવા રાજ્યમાં આમ આદમી પાર્ટીએ ન લડવું જોઈએ. કારણકે સીએમ બધેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ અહીં પોતાની લડાઈ રહ્યા છે જો આવા રાજ્યોમાં આમ આદમી પાર્ટી જાય તો તે ભાજપને મદદ કરી હોવાનું સ્પષ્ટ થઈ શકે છે.
ભુપેશ બધેલ પરથી વિશ્વાસ ઉડી ગયો
બીજી તરફ છત્તીસગઢ ભાજપના નેતા બ્રિજ મોહન અગ્રવાલએ સીએમ ભૂપેશ બધેલ પર પ્રહારો કરતા જણાવ્યું કે છત્તીસગઢના લોકોનો સીએમ ભુપેશ બધેલ પરથી વિશ્વાસ ઉડી ગયો છે. જેનું સાક્ષાત પરિણામ આવનારી ચૂંટણીમાં લોકોને સમક્ષ નજરે પડશે.
આવી કહી રહ્યા છે ખાનગી ચેનલના ઓપિનિયન પોલ
છત્તીસગઢમાં આ વર્ષના અંત સુધીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ અત્યારે જોરશોરથી મહેનતમાં લાગી ગઈ છે. ત્યારે કઈ પાર્ટીને કેટલી સીટો મળશે તે અંગેના ઓપિનિયન પોલ પણ સામે આવ્યો છે. જેમાં ખાનગી ચેનલના ઓપિનિયન પોલમાં જણાવેલ વિગત મુજબ ભાજપને 34 થી 39 બેઠકો મળી શકે છે. તેવી જ રીતે કોંગ્રેસને 47 થી 52 બેઠકો મળે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે બીજી તરફ એક થી પાંચ સીટ અન્યને ફાળે જાય તેવું જાણવા મળી રહ્યું છે.તો કોંગ્રેસને 44% બેઠકો મળવાની જ્યારે ભાજપને 43% બેઠકો અને બીજી તરફ અન્ય અને ટકા બેઠકો મળી રહી હોવાના પોલ આવી રહ્યા છે.