ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનો જંગ જાણે દર વર્ષે ચાલતો રહેતો હોય છે તેમ બની ગયો છે. છેલ્લાં 2 વર્ષથી ગુજરાતની 2 રાજ્યસભાની બેઠકો પર ચૂંટણી યોજવી પડી રહી છે. અગાઉ જ્યારે અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં જીત્યા ત્યારે રાજ્યસભાની બે બેઠકો ખાલી થઈ હતી. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં બે બેઠકો ખાલી થતાં ફરી ચૂંટણી યોજાશે.
ગુજરાતમાં ફરીવાર યોજાશે રાજ્ય સભાની ચૂંટણી
અભય ભારદ્વાજ અને અહેમદ પટેલનું તાજેતરમાં થયું નિધન
બંન્ને બેઠકો પર કબ્જો કરવા ભાજપે ઘડી રણનીતિ
ગુજરાતમાં ફરી એક વખત રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણીનો જંગ જામવાનો છે. કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધન બાદ આ બંને બેઠકો ખાલી પડી છે. આવામાં હવે ફરીથી 2 બેઠકો પર ઉમેદવાર તરીકે કોના નામ પર મહોલ લગાવવામાં આવશે તેની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષમાં કોરોનાકાળ દરમ્યાન જૂન મહિનામાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપનો 3 બેઠકો પર વિજય થયો હતો અને એક પર કોંગ્રેસ જીતી હતી.
ભાજપ કોને કોને આપી શકે છે ટિકિટ
આ વખતે હવે ગુજરાતમાં રાજ્યસભાની બેઠકોના ઉમેદવારોના નામ પર ભાજપે લગભગ મન બનાવી લીધું છે. સૂત્રોનું માનવામાં આવે તો ભાજપ આનંદબહેન પટેલના પરિવારમાંથી કોઈ એકને ટિકિટ આપી શકે છે. પૂર્વ સીએમ આનંદીબહેન પટેલનો પરિવાર રાજ્યસભાની ચૂંટણીમાં ઝંપલાવી શકે તેમ રાજકીય ગલીઓમાં ચર્ચા થવા લાગી છે.
સૂત્રો અનુસાર માનીએ તો આનંદીબહેન પટેલના પુત્રી અનાર પટેલને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે તેમ છે. હાલમાં જ પાટીદારોની ખોડલધામ ખાતે મીટિંગ મળી હતી જેમાં લેઉવા પટેલના પાટીદારોની મીટિંગ મળી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે રાજ્યસભામાં મનસુખ માંડવિયા પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે જે લેઉવા પટેલ છે. આવામાં કડવા પાટીદાર તરફથી ઉત્તર ગુજરાતમાંથી કોઈ એક નામ પણ મોકલવામાં આવે તેવી અંદરખાને નક્કી કરાયું છે. જેના પગલે ભાજપમાં આનંદીબહેન પટેલાના યોગદાનને જોતા તેમની પુત્રી અનાર પટેલને રાજ્યસભા માટે પસંદગી કરવામાં આવે છે તો નવાઈ નથી.
કહેવામાં આી રહ્યું છે કે અનાર પટેલના નામ પર ભાજપ હાઈકમાન્ડે પણ અંદરખાને લીલીઝંડી આપી દીધી છે. મહત્વનું છે કે આનંદીબહેન પટેલ હાલમાં યુપીના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. જો કે આ પહેલા આનંદીબહેનના પરિવારમાંથી કોઈ એકનું નામ લોકસભાની ચૂંટણી સમયે પણ ચર્ચામાં આવ્યું હતું પરંતુ અમિત શાહ ગાંધીનગર બેઠકથી લડ્યાં હતાં તેથી નામ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.
બંન્ને બેઠકો પર કબ્જો કરવા ભાજપે ઘડી રણનીતિ
જ્યારે બીજી બેઠક પર ભાજપ 2 નામો પર વિચાર કરી રહી છે. રાજ્યસભાની બીજી બેઠક પર નીતિન ભારદ્રાજ અથવા બળવંતસિહ રાજપૂતના નામ પર મહોર લગાવી શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસના અહેમદ પટેલની સામે બળવંતસિંહ રાજપૂત હાર્યા હતા.